SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ પાંચ મિનિટથી વધારે ટકી શકાય નહીં. પણ જ્યારે જ્યારે નિવૃત્તિ મળે અને રૂચિપૂર્વક બની શકે તેટલો પુરુષાર્થ ચાલુ રાખવો. પણ ચાર માસમાં છૂટક છૂટક બધુ મળી દોઢ કલાક ધ્યાન થઈ શકતું હોય તો છ માસે બે કલાક થવું જોઈએ, એટલે પ્રગતિ ચાલુ રહેવી જોઈએ. ‘એક પરિણામ ન કરતા દરવ દોય.’ ‘સમતા, રમતા, ઉધતા' વિગેરેના અર્થ કૃપાળુ દેવે ભરેલ છે, તે ફરી ફરી વિચારી ધ્યાન વખતે વિચારો સામે તેને મૂકવા જેથી અંતરવૃત્તિ વધશે. આંક ૩૧૭, પ્રથમ ભાગ. વાંચન-મનનનો આધાર ૧૨મા ગુણસ્થાનક સુધી લેવો ૨હે છે. તમો આંક ૨૦૦નું મનન કરો છો તે સારું છે. તે માર્ગ છે. આત્મસિદ્ધિ તો આત્મસિદ્ધિ કરાવે તેવી છે. તો મનન ચાલું રાખવું તમારી ભૂમિકાએ વર્ષ ૨૪-૨૫-૨૬-૨૭નું વાંચન અતિ ઉપયોગી છે. આંક ૪૬૬ નવ વચનાવલી છે તે પણ વાંચી મનન કરવા જેવી છે. શ્રીયુત્ શાહનું વાંચન ધીમું પણ ચાલું છે જાણી ખુશી ઉત્પન્ન થઈ છે. માજીનું પ્રથમ જાણ્યું કે સામાયિકમાં દોહરા વિ. બોલે છે. આંખના અંગે આત્મસિદ્ધિ વાંચવા બંધ થઈ. ચિ. મિનલને યાદી. તમોને ખુશી આનંદમાં ચાહું છું. સાગરમાં વાંચનમાં જવું તેની અનુમતિ મેં આપેલ હતી. કારણ એ બધાની સરખામણી કરવાની તમોને શક્તિ આવેલ છે. એટલે તેટલી નિવૃત્તિ રહે છે અને મળે છે. લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૭ ૧૩ o પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ પત્રનો જવાબ લખવામાં ઘણો વિલંબ થયો છે માટે ક્ષમા આપશો. UVIII વીર-રાજપથદર્શિની-૧ ન ૧૨૬ Jain Education International તા. ૧૫-૧૨-૭૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy