________________
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܐ
એમનો આભાર. મારી આવવાની ઇચ્છા પણ સંપૂર્ણ છે. ઇશ્વરેચ્છા હશે તો જરૂર આવીશ. કારણ કે મારા મધર (વર્લી) ૧ વર્ષથી Heart Attack ના હુમલાથી પીડાય છે. સારું થતું જ નથી. વેદનીય કર્મ ભોગવી રહ્યા હોય એમ લાગે છે. કેટલો ઊંચો જીવ-ધાર્મિક રીતે
૪૦ થી ૫૦ વર્ષનું સ્વાધ્યાય-સવારે ૪ વાગે ઉઠવાનું-નિત્યક્રમ:7
T સમયસાર
નિયમસાર પંચાસ્તિકાય
યોગસાર
ઉપરના શાસ્ત્રોનો વર્ષોથી સ્વાધ્યાય, ઘરમંદિર પછી પૂજાપાઠપછી મંદિરમાં જાય. એને બદલે પથારીમાં પડ્યા છે. બિમારીને કારણે માનસિક પરિણતી, કોઈ વખતે બગડે, પણ ઘણી જ શાંત રાખે છે. એમની પોતાની તો મરણની તૈયારી જ છે. જ્યારે આવે ત્યારે એ તો કહે છે- આત્મા અમર છે-દેહ આત્મા જુદા. બધું જ સમજે છે.
હું પણ હંમેશાં એમની સાથે મંદિરમાં જતી, સ્વાધ્યાય કરતી, એમણે મને મારા લગ્ન વખતે પાંચ પરમેષ્ઠિની માળા અને લઘુ જિનવાણીનું શાસ્ત્ર આપેલું. ૧ કલાક સ્વાધ્યાય કરવાનું કહેલું હતું. તેમાં ભક્તામર સ્તોત્ર, સામાયિક પાઠ, પ્રતિક્રમણ પાઠ, આલોચનાદિ પાઠ, કલ્યાણમંદિર સ્તોત્ર, વગેરે હું પણ ૨૫ વર્ષથી વાચું છું. કૃપાળુ દેવનું તો મને ત્રણેક વર્ષથી જાણવાનું મળ્યું. જો મને પહેલેથી જ મળ્યું હોત તો પરિણામ જુદું જ થાત. જાગ્યા ત્યારથી સવાર.
મંદિરમાં જ્ઞાનાર્ણવ શાસ્ત્ર વંચાય છે. તે પણ ઘણું જ interesting છે. હમણાં પદસ્થ ધ્યાન અને પંચપરમેષ્ઠિના જાપનું ધ્યાન વગેરેનું વર્ણન ચાલે છે.
મંદિરમાં ૧૫ કલાકના સ્વાધ્યાયમાં ઘણું Concentration ૨હે છે. ઘરમાં ટેલીફોન, અવર- જવ૨ ઉપાધિ રહે છે.
૩૦મા વર્ષમાં જાપ, ૩૫-૧૬-૮-૭-૫-૩-૨-૧ એ બધું શાનાર્ણવ શાસ્ત્રમાં છે.
UIIIIIIIII
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
૧૦૭
www.jainelibrary.org