________________
00000000000000000000
દોષોનો ક્ષય કરી, સર્વ લબ્ધિ પ્રાપ્ત કરી, તેના ફળ રૂપ જે અનંત સુખ, તેના ભોગી તે સર્વજ્ઞ મહામુનિ થાય છે. તે ઇચ્છા રહિતપણેસહેજે પર ઉપકાર કરી અયોગી જીવ મોક્ષ સુખને પામે છે.
અહીં તેને કર્મ રૂપ સર્વ શત્રુઓનો નાશ થાય છે, તેની સર્વ ઇચ્છા પૂરી થઈ જાય છે. આ લોકમાં જેટલાં સુખનાં સાધનો છે, પદાર્થો છે તેની પ્રાપ્તિથી, તેના ભોગથી થતા સુખ કરતાં પણ અનંતગણું સુખ આ શ્રેણીએ જીવ પામે છે, તેથી અન્યની ઇચ્છા રહિત બને છે.
એ અડદિઠ્ઠી કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતે જી, કુલયોગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતે જી; યોગીકુલે જાયા તસ ધર્મે, અનુગત તે કુલયોગી જી, અદ્વેષી ગુરુદેવદ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગી જી. ૪
ભાવાર્થ : યોગ શાસ્ત્રને આધારે આ આઠ દૃષ્ટિ અહીં સંક્ષેપમાં કહી છે. આ યોગદૃષ્ટિ આત્મસ્મૃતિ અર્થે તેમજ કુલયોગી અને પ્રવૃતચક્રના કલ્યાણ માટે પ્રેમપૂર્વક કહી છે.
યોગીકુળમાં જન્મ્યા હોય, તે તે ધર્મના અનુયાયી હોય તે કુલયોગી. અદ્વેષી હોય, સદ્ગુરુ, સદેવ અને સધર્મ ઉપર પ્રીતિવાળા હોય, દયાળુ હોય તેમજ ઉપયોગી હોય. આવા ગુણવાળો પ્રવૃત્તચક્ર યોગી કહેવાય.
સુશ્રુષાદિક અડગુણ સંપૂરણ, પ્રવૃતચક્ર તે કહિયે જી, યમદ્રય લાભી પરદુગ અર્થી, આદ્ય અવંચક લહિયે જી; ચાર અહિંસાદિક યમ ઇચ્છા,પ્રવૃત્તિથિ સિદ્ધિ નામે જી, શુદ્ધ રૂચેં પાલે અતિચારહ, ટાલે ફલ પરિણામે જી. પ
ભાવાર્થ : પ્રવૃતચક્ર યોગી તે કુલયોગીથી વિશેષ યોગ્યતાવાળા છે અને યોગમાર્ગમાં આગળ વધેલા હોય છે. તેમનામાં આઠ ગુણ જેવા
vvvvvvvvv
શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સજ્ઝાય
Jain Education International
For Personal & Private Use Only
COTTO ૯૯
www.jainelibrary.org