SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : જેમ શહેરના ધનવાનોના સુખનો ખ્યાલ ગરીબોને આવી શકતો નથી, જેમ કુમારિકાને પતિસુખનો ખ્યાલ આવી શકતો નથી તેમ ધ્યાનના અનુભવ વિના ધ્યાનથી મળતા સુખનો ખ્યાલ કોઈને પણ આવી શકતો નથી. એ દૃષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હોય સાચું; દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રત્ન તે દીપે જાચું. રે ભવિકા ૪ ભાવાર્થ : આ દૃષ્ટિએ પહોંચેલા જીવને બોધની નિર્મળતાને કા૨ણે ધ્યાન પણ સાચું થાય છે. રત્નપ્રભા જેમ નિર્મળ જ્ઞાનપ્રકાશ નિત્ય નિરંતર રહે છે. વિષભાગ ક્ષય, શાંતવાહિતા, શિવમારગ ધ્રુવ નામ, કહે અસંગ ક્રિયા ઇહાં યોગી, વિમલ સુયશ પરિણામરે. ભવિકા ૫ ભાવાર્થ : વિષભાગક્ષય એટલે વિકાર દૂર થવો તે બૌદ્ધ મતના યોગીઓ જેને વિષભાગક્ષય કહે છે, સાંખ્યમતના યોગીઓ જેને શાંતવાહિતા કહે છે. શૈવમતના યોગીઓ જેને શિવમાર્ગ કહે છે, પાતાંજલિ યોગ માર્ગના યોગીઓ જેને ધ્રુવમાર્ગ કહે છે અને જૈનદર્શનના યોગીઓ જેને અસંગ અનુષ્ઠાન કહે છે તે પ્રાપ્ત થયે અત્યંત વિમલ પરિણામ થાય છે. અને એ જ મોક્ષમાર્ગ છે એમ યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે. આઠમી પરાર્દષ્ટિ - ઢાળ આઠમી (તુજ સાથે નહિ બોલું મારા વહાલા-એ દેશી) દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણું જી, આપ સ્વભાવે પ્રવૃત્તિ પુરણ, શિસમ બોધ વખાણું જી; નિરતિચાર પદ એહમાં યોગી,કહિયે નાહીં અતિચારી જી, આરોહે આરૂઢે ગિરિને, તેમ એહની ગતિ ન્યારી જી. ૧ શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સજ્ઝાય Jain Education International For Personal & Private Use Only ૯૭ www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy