________________
એથી એ સુખ જૂઠાં-મૃગજળ જેવાં છે એમ જાણનાર મુમુક્ષુ અથવા જ્ઞાની સંસાર સમુદ્રને તરી જાય છે. યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે કે આ દૃષ્ટિવાળા જીવ સુયશ મેળવી આત્માના અક્ષય સુખના વિલાસનો સંયોગ પ્રાપ્ત કરે છે.
+}*****
(એ છીંડી ક્યાં રાખી–એ દેશી) અર્કપ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠ્ઠી; તત્ત્વતણી પ્રતિપત્તિ ઇહાં વળી, રોગ નહીં સુખ પુટ્ટી. રે ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ. ૧
સાતમી પ્રભાદષ્ટિ - ઢાળ સાતમી
-
ભાવાર્થ : આ સાતમી પ્રભા નામની દૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવો બોધ હોય છે. અહીં યોગનું સાતમું અંગ ધ્યાન પ્રગટે છે. અને જીવને ધ્યાન પર પ્રીતિ થાય છે. આ દૃષ્ટિમાં પ્રતિપત્તિ નામનો ગુણ પ્રગટે છે એટલે શુદ્ધ આત્મ તત્ત્વનું યથાર્થ દર્શન થાય છે. તેથી રોગ નામનો દોષ દૂર થાય છે અને સુખને પુષ્ટિ મળે છે. માટે હે ભવ્ય જીવો ! વીર ભગવાનના વચનને ચિત્તમાં ધારણ કરો.
સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ;
એ દૃષ્ટિ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ ? રે ભવિકા૰ ૨
ભાવાર્થ : પરવશતા એ દુઃખનું લક્ષણ છે અને નિજવશતા એ જ સુખ છે. આવી દૃષ્ટિથી, આવી સમજણથી આત્માનો જે સુખ ગુણ પ્રગટે છે તે સુખનું શું વર્ણન કરીએ ?
του G9
નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી ? રે ભવિકા૦ ૩
OUTOUTU
Jain Education International
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org