SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ એથી એ સુખ જૂઠાં-મૃગજળ જેવાં છે એમ જાણનાર મુમુક્ષુ અથવા જ્ઞાની સંસાર સમુદ્રને તરી જાય છે. યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે કે આ દૃષ્ટિવાળા જીવ સુયશ મેળવી આત્માના અક્ષય સુખના વિલાસનો સંયોગ પ્રાપ્ત કરે છે. +}***** (એ છીંડી ક્યાં રાખી–એ દેશી) અર્કપ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠ્ઠી; તત્ત્વતણી પ્રતિપત્તિ ઇહાં વળી, રોગ નહીં સુખ પુટ્ટી. રે ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ. ૧ સાતમી પ્રભાદષ્ટિ - ઢાળ સાતમી - ભાવાર્થ : આ સાતમી પ્રભા નામની દૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવો બોધ હોય છે. અહીં યોગનું સાતમું અંગ ધ્યાન પ્રગટે છે. અને જીવને ધ્યાન પર પ્રીતિ થાય છે. આ દૃષ્ટિમાં પ્રતિપત્તિ નામનો ગુણ પ્રગટે છે એટલે શુદ્ધ આત્મ તત્ત્વનું યથાર્થ દર્શન થાય છે. તેથી રોગ નામનો દોષ દૂર થાય છે અને સુખને પુષ્ટિ મળે છે. માટે હે ભવ્ય જીવો ! વીર ભગવાનના વચનને ચિત્તમાં ધારણ કરો. સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દૃષ્ટિ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ ? રે ભવિકા૰ ૨ ભાવાર્થ : પરવશતા એ દુઃખનું લક્ષણ છે અને નિજવશતા એ જ સુખ છે. આવી દૃષ્ટિથી, આવી સમજણથી આત્માનો જે સુખ ગુણ પ્રગટે છે તે સુખનું શું વર્ણન કરીએ ? του G9 નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી; અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી ? રે ભવિકા૦ ૩ OUTOUTU Jain Education International વીર-રાજપથદર્શિની-૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy