SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO સરી એ બોધ પ્રવાહની જી, એ વિણ શ્રુત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જેમ ભૂપ રે. જિ. ૩ ભાવાર્થ: શુશ્રુષા ગુણ કૂવામાં ઊંડેથી આવતી પાણીની સરવાણી | જેવો છે તેથી કૂવાનું પાણી ખૂટે નહીં તેમ બોધ સાંભળતાં સાંભળતાં સુવિચારણા રૂપ નવીનતા આવે એવો ગુણ પ્રગટે તે શુશ્રુષા છે. શુશ્રુષા ગુણ વિના પ્રાપ્ત થયેલો બોધ એ પાણી વિનાના કૂવા જેવો | નિરર્થક બની રહે. એ શુશ્રુષા ગુણ એવો છે કે બોધ સાંભળવા ન મળે તો પણ બોધનું માહાભ્ય જેના ચિત્તમાં છે તેને સહેજે કર્મના આવરણ ટળે. જેમ રાજા સૂતા સૂતા ફરિયાદ સાંભળે તે ન સાંભળી હોય તો પણ તેનો વી પ્રભાવ પડે તેમ. મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એક તાન; તે ઇચ્છા વિણ ગુણ કથાજી, બહેરા આગળ ગાન રે. જિ. ૪ ભાવાર્થ : શ્રવણલાભથી આ દૃષ્ટિના જીવનું મન સંતુષ્ટ થઈ જાય. અને તન ઉલ્લાસમાં આવી જાય. એકતાન થઈને સાંભળે, આનંદ, 5 બોધ પામે, આવી ઇચ્છા વિના ગુણની કથા બહેરા આગળ કરેલા ગાનની જેમ નિષ્ફળ થાય છે. વિઘન ઇંડાં પ્રાયે નહીં જી, ધર્મ હેતુમાં કોય; અનાચાર પરિહારથી જી, સુયશ મહોદય હોય રે. જિ. ૫ ભાવાર્થ આ દૃષ્ટિએ પહોંચ્યા પછી ધર્મ પ્રવૃત્તિમાં, ધર્મનાં કારણોમાં વ ઘણું કરીને કોઈ વિઘ્ન આવતું નથી. અનાચારનો ત્યાગ થયેલ હોવાથી કે વી આવા જીવને સુયશ પ્રાપ્તિ રૂપ મહાભાગ્યનો ઉદય હોય છે. 000000000000000000000000000000000000000 *** ** શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાયી ૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy