________________
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
સરી એ બોધ પ્રવાહની જી, એ વિણ શ્રુત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જેમ ભૂપ રે. જિ. ૩
ભાવાર્થ: શુશ્રુષા ગુણ કૂવામાં ઊંડેથી આવતી પાણીની સરવાણી | જેવો છે તેથી કૂવાનું પાણી ખૂટે નહીં તેમ બોધ સાંભળતાં સાંભળતાં સુવિચારણા રૂપ નવીનતા આવે એવો ગુણ પ્રગટે તે શુશ્રુષા છે. શુશ્રુષા ગુણ વિના પ્રાપ્ત થયેલો બોધ એ પાણી વિનાના કૂવા જેવો | નિરર્થક બની રહે.
એ શુશ્રુષા ગુણ એવો છે કે બોધ સાંભળવા ન મળે તો પણ બોધનું માહાભ્ય જેના ચિત્તમાં છે તેને સહેજે કર્મના આવરણ ટળે. જેમ રાજા સૂતા સૂતા ફરિયાદ સાંભળે તે ન સાંભળી હોય તો પણ તેનો વી પ્રભાવ પડે તેમ.
મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એક તાન; તે ઇચ્છા વિણ ગુણ કથાજી, બહેરા આગળ ગાન રે. જિ. ૪
ભાવાર્થ : શ્રવણલાભથી આ દૃષ્ટિના જીવનું મન સંતુષ્ટ થઈ જાય. અને તન ઉલ્લાસમાં આવી જાય. એકતાન થઈને સાંભળે, આનંદ, 5 બોધ પામે, આવી ઇચ્છા વિના ગુણની કથા બહેરા આગળ કરેલા ગાનની જેમ નિષ્ફળ થાય છે.
વિઘન ઇંડાં પ્રાયે નહીં જી, ધર્મ હેતુમાં કોય; અનાચાર પરિહારથી જી, સુયશ મહોદય હોય રે. જિ. ૫
ભાવાર્થ આ દૃષ્ટિએ પહોંચ્યા પછી ધર્મ પ્રવૃત્તિમાં, ધર્મનાં કારણોમાં વ ઘણું કરીને કોઈ વિઘ્ન આવતું નથી. અનાચારનો ત્યાગ થયેલ હોવાથી કે વી આવા જીવને સુયશ પ્રાપ્તિ રૂપ મહાભાગ્યનો ઉદય હોય છે.
000000000000000000000000000000000000000
***
**
શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાયી
૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org