SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય અહિંસા હરિબળ કહે, હું તો કુળાચા૨ એ ધર્મ જાણું છું. મારા બાપ માછલાં મારતા ને ગુજરાન ચલાવતા. હું પણ માછલાં મારીને ગુજરાન ચલાવું છુ. ૨૧ મુનિરાજ કહે, એવો કુળધર્મ શા કામનો ? શું પિતા દુરાચાર કરતો હોય, ખરાબ હોય, તો પુત્રે પણ એવું જ કરવું જોઈએ? ધર્મ તો તે જ કહેવાય કે જેમાં જીવદયા હોય. બધાં પ્રાણીને સરખાં ગણવાં, કોઈને મારવું નહિ, તેનું નામ જીવદયા. ધર્મનું મૂળ જ દયા છે. જીવદયા પાળનારને ઘણું સુખ મળે છે. માટે ભાઈ ! તું કંઈક જીવદયા પાળ. હરિબળને વાત સાચી લાગી, પણ માછલાં ન મારું તો શું કરું એ સૂઝ્યું નહિ. તેણે કહ્યું: “મુનિરાજ ! મારાથી શી રીતે જીવદયા પળાય ? હું જો આ કામ ન કરું તો મારાં બાયડીછોકરાં ભૂખે મરે.’ મુનિ કહે, આ ધંધો તદ્દન છોડી ન શકે તો પણ થોડા નિયમ તો લે. એમ કર કે જાળમાં પહેલું માછલું આવે તેને છોડી દેવું. આટલો પણ નિયમ પાળીશ તો ભવિષ્યમાં ઘણો લાભ થશે. હરિબળે એ નિયમ આનંદથી ગ્રહણ કર્યો. નિયમ તો નાનો હતો, પણ પહેલા જ સપાટે એક મોટું માછલું પકડાયું. હરિબળે પોતાના નિયમ પ્રમાણે તેને જીવતદાન આપીને પાણીમાં મૂકી દીધું. ફરીથી જાળ નાખીને બહાર કાઢી તો એનું એ જ માછલું પકડાયું. તેણે વિચાર કર્યોઃ આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005457
Book TitleMantri Vimalshah Mahamantri Udayan
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy