SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૧૦ તો તે જ માછલું છે, જેને મેં જીવતદાન દીધું છે તો એને કેમ મરાય? પછી એને ઓળખવા માટે ગળે કોડી બાંધીને પાણીમાં મૂકી દીધું અને ત્યાંથી દૂર જઈ જાળ નાખી, પણ બન્યું એવું કે તેનું તે જ માછલું પકડાયું એટલે હરિબળ એથી પણ દૂર ગયો. એમ ઠેકાણાં બદલતાં બદલતાં સાંજ પડી. ‘હજી સુધી કંઈ મળ્યું નહિ. આજે સ્ત્રી નક્કી બૂરી વલે ક૨શે, માટે કાલે કંઈક લઈને જ ઘેર જઈશ.' એમ વિચારી ઘેર જવાનું માંડી વાળ્યું. અને ગામથી થોડે દૂર જંગલમાં એક મંદિર હતું તેની અંદર જઈને સૂતો. ૨૨ * દુનિયામાં કેટલાક અકસ્માત એવા બને છે કે સાદી બુદ્ધિથી એનો ઉકેલ ન સૂઝે. વસંતશ્રી નામે એક રાજકુંવરી એક શ્રીમંત પુત્ર પર મોહિત થયેલી. એનું નામ પણ શેઠ હરિબળ. બંને જણાંએ એક રાતે નાસી છૂટવાનો સંકેત ગોઠવ્યો. જઝવેરાત અને પોતાના માટે તથા પોતાના પ્રેમી માટે બે સારા ઘોડા લીધા. ઠરાવેલ સમયે એ બહાર પડી. હરિબળ માછી જે મંદિરમાં સૂતો હતો, તે જ એમનું સંકેત-સ્થળ હતું, પણ પેલો વાણિયો હરિબળ ગણતરીબાજ નીકળ્યો. એણે વિચાર્યું કે રાજકુંવરીને લઈને નાસી જવામાં ભારે જોખમ છેઃ વળી પછી બાપ પણ ક્યાંથી સંઘરે. એ ઘરમાં જ બેસી રહ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005457
Book TitleMantri Vimalshah Mahamantri Udayan
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy