________________
૪
જૈન બાલગ્રંથાવલિ-૨ બાપનું આપ્યું જોગવીએ છીએ. અમારે વઢવુંય નથી, ને લડવુંય નથી.”
એલચી બોલ્યો: “રાજરાજેશ્વર ભરતે છ છ ખંડ જીત્યા છે. ત્યાં તમારા જેવાને હિસાબ છે? આજ્ઞા માનવી હોય તો માને, નીકર લડવા માટે તૈયાર રહેજે.”
આ તો ભારે વાત ! વઢ, નહિ તો વઢવા દેજેવી!
બાહુબલી તો ક્રોધે ભરાયા. રાતી પીળી આંખે થઈ. સિંહની પેઠે ગાર્યો જોયા જોયા તારા રાજાને. અલ્યા, જઈને કહેજે તારા રાજાને, શરીર દેશું પણ સ્વમાન નહીં દઈએ. લડવું હોય તે લડવા આવે. અમે પણ હાથ બતાવી જાણીએ છીએ.”
દૂત તો બિચારો ડરી ગયો. ભરતદેવને આવીને કહે, “બાપુજી, લડવાનું માંડી વાળે. બાહુબલી આગળ આપણું કાંઈ વળવાનું નથી.”
રાજા ભરત ઘેરો હતા, છ ખંડને વિજેતા હતા. એમ તે કંઈ ડરે ! તે બેલ્યો “છ ! બાયલા હોય તે ડરી જાય. વીર પુરુષ તે વળી ડરતા હશે?”
લશ્કરને હુકમ દીધોઃ “થઈ જાવ તૈયાર. તક્ષશિલા તરફ કૂચ કરવાની છે.”
ધ્રુસકે ધ્રુસક ઢોલ વાગ્યાં. ગડગડગડ નાબતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org