SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતબાહુબલી ૧૩ કહેવું સાચું છે. ચાલ ત્યારે ભાઈઓ પાસે જાઉં તેમનાં દર્શન કર્યું ને તેમની માફી માગું.” માન તે બધું ગળી ગયું છે. ચાલવા પગ ઉપાડે છે એટલે થયું કેવળજ્ઞાન. એટલે થયું સાચું જ્ઞાન. આ બાજુ ભરત રાજા સારી રીતે રાજ્ય કરે છે, પ્રજાનાં દુઃખ કાપે છે, પ્રભુનાં દર્શને જાય છે, તેમની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને ધર્મધ્યાન કરે છે. ભરત તો ચક્રવર્તી. એમના નામથી આ ભૂમિ ભરતભમિ કહેવાણી. એમની સાહ્યબીનો પાર નહિ. હિરા–મતીને પાર નહિ. ધનના ઢગલા ને રત્નના ભંડાર. હજારે રાજાઓ એમની સેવામાં. દાસદાસીએને હિસાબ નહિ. ભરતેશ્વર મોટા દાનેશ્વરી. તેમણે બાંધી દાનશાળા. દૂર દેશથી લેકે આવે, ધન-હીણાને ધન આપે, નવસ્ત્રાને વસ્ત્ર આપે. ઢેર આપે ઢાંખર આપે. આપવા જેવું બધું આપે. લેનાર થાકે પણ દેનારે તે થાકે જ નહિ. એક બાંધી ભેજનશાળા. જમવું હોય તે જમી જાય. કોઈને કંઈ રેકે નહિ. ભૂખ્યા ભેજન જમતાં જાય. રૂડી આશિષ દેતાં જાય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005456
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granthratna Karyalay
Publication Year
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy