________________ -- વિદ્યાર્થી વાચનમાળા-૮ પરદેશી વેપારી કંપનીઓ પાસે લાખની મૂડી હતી. પીઠ પાછળ રાજસત્તાનું બળ હતું. તીવ્ર વેપારી બુદ્ધિ હતી. બાટ ખાવા માટે ભર્યાભાદર્યા ધનભંડારે તૈયાર હતા. આ કંપનીઓ ઘાસતેલને વેપાર હાથ કરવા તલસી રહી હતી. આ સ્થિતિમાં ભારતને એક રહેવાસી તેમાં ઝુકાવે અને સફળતા મેળવે એ અશકય–તદ્દન અશક્ય—એકદમ અશક્ય લાગતું હતું ! પણ એ અશક્ય વસ્તુને શક્ય કરી બતાવે, એવી શાહ સેદાગર–ખાના રાજા જમાલ શેઠમાં શક્તિ હતી. તેમણે બ્રહ્મદેશમાં પ્રવાસ કર્યો. કયાં કયાં ઘાસતેલના કૂવા છે, તેને વ્યાપાર કેવી રીતે થાય છે, ઈત્યાદિ સઘળી માહિતી મેળવી અને “ધી ઈન્ડે બર્મા પેટ્રોલિયમ કંપની” નામની વેપારી પેઢી સ્થાપી. ઘાસતેલના સેંકડે કૂવા પિતાની માલિકીના બનાવ્યા અને આ પેઢીનું કામ ધમધોકાર ચાલુ થઈ ગયું. ધીમે ધીમે તેમણે એકંપની પણ એવા સારા પાયા ઉપર આવ્યું અને તેને એવી મજબૂત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org