________________
શાહ સોદાગર જમાલ
નિર્માણ કરી છે. તે સાથે બ્રહ્મભમિમાં કેટલાક મહત્વનાં ખનિજે પણ કુદરતે નિર્માણ કરેલાં છે. એમાંની એક અગત્યની વસ્તુતે ઘાસતેલ અથવા કેરોસીન છે. બ્રહ્મદેશનો આ તેલને ઉદ્યોગ, આજે તો પૂર્ણ કળામાં છે, પરંતુ શ્રી જમાલ શેઠના કાળમાં પ્રસ્તુત ઉદ્યોગે આટલી બધી પ્રગતિ કરી ન હતી. એ ઉદ્યોગ બાલ્યાવસ્થામાં હતા અને તેને કઈ “શાહ સેદાગર” ની જરૂર હતી. - જમાલ શેઠ તેમની પેઢીમાં એક દિવસ બેઠા હતા. પેઢીના કારકુનો પોતપોતાના કાર્યમાં મશગુલ હતા અને જમાલ શેઠ સ્થિર ચિત્તે કાંઈક વિચાર કરી રહ્યા હતા. તેઓ ખુશમિજાજી અને આનંદી હતા. કોઈ દિવસ ચિંતામાં રહેતા નહિ. આજે તેઓ ચિન્તાગ્રસ્ત કેમ હશે, તેનું રહસ્ય કોઈ સમજી શક્યું નહિ. એટલામાં તેમણે તેને ખુલાસે કરી નાખ્યો. તેઓ ગ્યાસતેલના વેપારમાં ઝંપલાવવા માગતા હતા અને તે માટેની તેઓ યેજના કરી રહ્યા હતા.
આ કાર્ય પાર પાડવું એ કાંઈ રમત નહતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org