SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” સ્વજનો સાથે મિલાપ થાય છે. પુણ્યથી જ ભોજન અને ભોગપભોગની સામગ્રી મળે છે. પુણ્ય વિદાય લેતાં પાપના ઉદયથી સર્વ સંયોગ વિયોગમાં પરિવર્તન પામે છે. ...૩૦૪ પુષ્કળ પુણ્યનો સંચય થતાં શતાનીકરાજાને તેમની પ્રિય રાણી સાથે મિલાપ થયો. મૃગાવતી રાણીએ નાન કરી સંન્યાસીનીને યોગ્ય વસ્ત્ર (વલકલ) પરીધાન કર્યા. તેમણે માથા ઉપર સાડી ઓઢી હતી. તેમણે ગળામાં સુગંધી પુષ્પોનો હાર પહેર્યો હતો તેમજ દેહ ઉપર શીયળરૂપી શણગાર સજ્યાં હતાં. ...૩૦૫ શતાનીકરાજાએ મંત્રીને કહ્યું, “મહારાણીએ ગુસ્સામાં મુખ ફેરવી લીધું છે. મંત્રીશ્વર! હું આ મહર્ષિઓ સમક્ષ લોક લજ્જાથી મહારાણીને મળી શકતો નથી. તમે કંઈક ઉપાય - યુકિત કરો જેથી રાણીને હું મળી શકે.” ...૩૦૬ રાજા મંત્રીના પગે પડયા. તેમની સાથે રહેલા તાપસોએ આ કૌતુક જોયું. (તેમને આશ્ચર્ય થયું.) તેમણે રાજાને હાથ પકડી ઊભા કર્યા. મંત્રીને ઠપકો આપતાં રાણીએ કહ્યું. .૩૦૭ આ રાજા ઘણી સ્ત્રીઓના રવાની છે તેથી તેમણે મારી કોઈ તપાસ ન કરી. મંત્રીશ્વર ! તમે પણ મારી શોધ ન કરી? તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? ...૩૦૮ જો એ મને ભૂલી ગયા તો ઠીક છે પરંતુ પોતાના પુત્રને કેમ ભૂલી ગયા? બધા મુખ ફેરવીને શા માટે કાર્ય કરો છો.' ...૩૦૯ ત્યારે સેનાપતિ ખુલાસો કરતાં કહ્યું, “રાજાએ ઘણા ઉપવનો, જંગલો અને અનેક જગ્યાએ તમારી. તપાસ કરાવી. ઘણા દેશ પરદેશમાં સેવકો મોકલાવી તપાસ કરાવી પરંતુ કોઈ વ્યક્તિએ તમારા સમાચાર ન આપ્યા. ...૩૧૦ પોતાની રાણીના વિયોગથી રાજા રવયં અત્યંત દુઃખી છે. તેમનું દુઃખ તો કોઈ કેવળજ્ઞાની મહાત્મા જ જાણી શકે.” આ વાર્તાલાપ સાંભળી મૃગાવતી રાણીએ માઢું ફેરવી રાજા તરફ જોયું, ત્યારે રાજા અત્યંત દુઃખી ચહેરે નીચું જોવા લાગ્યા. ...૩૧૧ રાણીએ કહ્યું, “મહારાજા! તમે દુઃખી ન થાવ, તમે ઊંચુ જુઓ. તેમાં તમારો કોઈ ગુનો નથી. આતો મારા જપૂર્વકૃત અંતરાય કર્મનો ઉદય હોવાથી આપણી વચ્ચે વિયોગ થયો. ખરેખર! જ્યારે પુણ્ય ખૂટે છે ત્યારે રાજા અને રંક દુઃખ અનુભવે છે.” ...૩૧ર મહારાણી મૃગાવતીએ આ પ્રમાણે કહીને પોતાના પુત્રને ત્યાં બાલાવ્યો. કૌશાંબી નરેશ શતાનીક રાજા પોતાના પુત્રને મળ્યા. ઉદાયનકુમારે ત્યારે માતાને પૂછયું, “માતા! આ પુરુષ કોણ છે? તેમની સાથે મારો પરિચય કરાવો.' માતાએ વહાલથી પુત્રને કહ્યું, “વત્સ ! આ ઊભા છે, તે તારા પિતાજી છે. તેમને આલિંગન કર”. ...૩૧૩ ઉદાયનકુમારે વિનયપૂર્વક પિતાજીને પગે લાગી, બે હાથ જોડી નમસ્કાર કર્યા અને તરત જ દોડીને પિતાને ભેટી પડયો. પિતા અને પુત્રના મિલનથી સર્વની આંખો અશ્રુભીની થઈ. જેમ દેવવિમાનમાં દેવ તીવ્ર ઝડપથી જાય છે તેમ રાજાના હૃદયમાં પુત્ર વાત્સલ્યનું પૂર ઉભરાયું. ...૩૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy