SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ શાંત રસ : અભયકુમાર રાસકૃતિ વીરરસની ઉત્તમ કૃતિ હોવા છતાં અંતે સંસારની અસારતા, સંબંધોની સ્વાર્થતા, “રાજેશ્વરી તે નરકેશ્વરી' એવું જાણી પ્રબુદ્ધ અભયકુમાર દઢ વૈરાગી બન્યા. નિમિત્ત મળતાં તેઓ રાજપદ ન સ્વીકારતા મોક્ષના રાજવી બનવા અણગાર બન્યા. કવિ આ કૃતિ દ્વારા સર્વવિરતિ ધર્મની પ્રધાનતા દર્શાવી આત્માના શાશ્વત સુખનું નિર્દેશન કરે છે. અહીં કવિ અંતે શાંત રસની પ્રધાનતા દર્શાવે છે. ચમત્કારિક તત્ત્વ ઃ ઉદાયનકુમારે મણિધર નાગને બચાવ્યો ત્યારે મણિધર સુરદેવ બનીને પ્રગટ થયો. તે ઉદાયન કુમારને પાતાળમાં લઈ ગયો. તેણે તેને દિવ્યવાંસળી આપી. આ પ્રસંગમાં કવિ ચમત્કારિક તત્ત્વનું પ્રયોજન કરે છે. સોંઈ કિનર પૂર પાતાલઈ, તેડી ઉદયન જાય રે; ઘોષવતી દઈ વીણા તેહને, સીખવે સકલકલાયરે.' (દુ.૩૭) ધારિણી રાણીના દોહદપૂર્તિ માટે થયેલી અકાળે મેઘવર્ષામાં કવિ ચમત્કારિક તત્ત્વ દર્શાવે છે. આઠમ ધરી પોષધ ધર, ધ્યાયો સૂર મનમાંહિ; સૂધરમઈ સરગઈ થકી, આવ્યો વેગિં ત્યાંહિ; વેગ મેહ વીકરુવીઉં, ગાજવીજ ઘનઘોર; પંચ વરણ થઈ વરસતો, બોલઈ ચાતુક મોર.” (ચો.૧૬) રૂપપુરો ચોર આંખમાં અંજન આંજી અદ્રશ્ય બનતો. “ભોજનસાર કરંઈ જીવ રાય, અદૃષ્ટ રૂ૫ખરો તવ થાય; રાયનો ભોજન પોતે જીમંઈ, છાંનો આર્તે છાનોં રમઈ.” મધ્યકાલીન કૃતિઓમાં આવાં ચમત્કારો ઘણી કૃતિઓમાં આલેખાયાં છે. શુકન-અપશુકન : (ચો.૪) લોહજંઘના પાત્ર દ્વારા કવિ અપશુકન વિશે જણાવે છે. “ખાવા લાડુ માંડે જિસે, માઠા શકુન હું ઈ સહી તિસે; લાડુ દૂત તિહાં નવિખાય, પંથિં પુરુષને ચાલ્યો જાય; વૃષ છાયાઈ બૈઠો સહી, શુકને વારયો ચાલ્યો સહી; જાતાં બઈઠો વરી એક ઠામ, છોડવા લાડુ ખાવાકાંમ; શ્રુકન પંખીઆ માઠાં કરઈ, ઉઠી દૂત આધો સંચરઈ.' (ઢા.૧૨) શતાનીકરાના મૃગાવતી રાણીની શોધમાં ચંદન વનમાં ભમતા હતા. ત્યારે તેમને શુભ શુકન થયા. મહીમા બહુતાપસ તણી, દેખઈ ધેનુનાવાડારે; આડારે, મૃગલા મ્યુકન કરઈ સહીએ.” For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy