SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ • ૧૬૮૯ ચંપાનગરીનું સૈન્ય વિફરેલા વાઘની જેમ વિશાલા નગરીમાં ફરી વળ્યું.) કપટી કૂળવાળુક મુનિ અને માગધિકા ગણિકા દ્વારા અનર્થ સર્જાયો. ભિક્ષુક (મુનિવર) મરીને નરકગતિમાં ગયા. કવિ ઋષભદાસ કહે છે કે, વિશાલા નગરીના દ્વાર ખૂલતાં કોણિકરાજા નગરમાં પ્રવેશ્યા. (બાર વર્ષે યુદ્ધ વિરામ પામ્યું.)... ૧૬૮૭ દુહા : ૮૮ કોણી કટક પાછાં ફરયાં, ભાગો ચડોતામ; ગઢ પાડી પોલ્યો દહી, લીઈ વિશાલા ગામ. ... ૧૬૮૮ અર્થ - કોણિકરાજાનું સૈન્ય પાછું ફર્યું. (‘પોતે કમોતે મરી જશે' એવા ડરથી) ચેડારાજા ત્યાંથી ભાગ્યા. કોણિકના લશ્કરે વિશાલા નગરીનો ગઢ તોડી નાખ્યો. ત્યાંની પોળો બાળી નાખી. તેમણે વિશાલા નગરી ઉપર કળ્યો કરી પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. ... ૧૬૮૮ ઢાળ ઃ ૭૪ વિશાલા નગરીનો વિધ્વંસ જિમ સહકારિ કોયલ ટહુકઈ એ દેશી. નગરી વિશાલા ભેલી જ્યારઈ, દહો દશ લોક નાસતા ત્યારઈ; પડઈ બૂબ લૂટઈ સહુ એ. ભાગા સુભટ સબલા ઝૂઝારો, નાખી દઈ અલગ હથીઆરો; ગહેન ગફામાં જઈ વસી એ. ... ૧૬૯૦ મંદિર મોહલા ઘર હાટ વખારો, ધન ભરયા મુકયા તેણઈ ઠારયો; નાસઈ દહો દસિ નર ઘણા એ. .. ૧૬૯૧ અર્થ:- વિશાલા નગરી જ્યારે લૂંટાણી ત્યારે લોકો દશે દિશાઓમાં નાસભાગ કરવા લાગ્યા. નગરમાં ચારે બાજુલૂંટફાટના કારણે બૂમરાણ મચી ગઈ. .. ૧૬૮૯ શત્રુઓ સામે ઝઝૂમી રહેલા શૂરવીર યોદ્ધાઓ પણ પોતાના હથિયાર ફેંકી નાસી ગયા. તેઓ ઊંડી, ગહન ગુફામાં જઈ રહ્યા. ... ૧૬૯૦ અનેક લોકો ઘર, મહોલ્લા, વખાર, દુકાન, ધન-સંપત્તિ બધું જ ખૂલ્લું મૂકી પોતાનો જીવ બચાવવા ચારે દિશાઓમાં દોડયા. ... ૧૬૯૧ ચેડા રાજાનું સ્વર્ગગમન ચેડાનિ કહઈ કોણી રાય, અમે વિશાલા લીધી આપ; હવઈ ઘટઈ કરવું કર્યું એ. • ૧૬૯૨ હોઈ તવ ચેડાંનિ બહુ દુખો, ઢું દેખાડું એહનિ મુખો; જસ જાતાં ચુ જીવિવું એ. •. ૧૬૯૩ દેહરાસરિથી પ્રતિમા લાવઈ, બાંધી કોટિ કૂપ ઝંપાવઈ; મરણ તણી ગતિ સાધતો એ. ... ૧૬૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy