SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ••• ૫૬૨ ... પ૬૩ શ્રે. સીસ નમાવી સુભટ તે સંચરયો રે, લેઈ ધનુષ નર ધાય; આવી પેઠો વેગિ સણગમાં રે, કિહાં ગયો ચોરટો રાય જઈ મલ્યો નર શણગનિ બારણઈ રે, મુક્યું એક તિહાં બાણ; બત્રીસ બેટા તુલસાના હતા રે, લીધા તેહના પ્રાણ શબ પડીઆં સહુ શણગ નઈ બારણઈ રે, વાત જણાવી હો રાય; જઈ ન સકઈ તે પાછો આવીઉં રે, વાત જણાવી હો રાય ... ૫૬૪ છે. તામ સુજેષ્ઠા મનમાં ચિંતવઈ રે, એ મુઝ સિર હતયાય; ચારિત્ર લઈ તપ કિધા વિના રે, એ પાતિક નવિ જાય ... પ૬૫ શ્રે. મોહબંધન પણિ ટલીઉં બહેનીનું રે, તે મુઝ મુંકી નઈ જાય; કો કેહનો દીસઈ નહી જગમાં વલી રે, તેણિ હું લેઉ દીખ્યાય ... પ૬૬ શ્રે. લીધો સંયમ વય રાત્રેિ વલી રે, એક દિન ઊભી રે ધ્યાનિ; 28ષભ કહઈ નવ યૌવન નરપતિ સુંદરી રે, રૂપિં તે અમરિ સમાનિ ... પ૬૭ છે. અર્થ - મહારાજા શ્રેણિકે સુરંગ ખોદાવી. તેઓ સુરંગ વાટે સંચર્યા. તેઓ ચેડારાજાની વિશાલા નગરીમાં પહોંચ્યા. તેમણે પોતાની સાથે સતી સુલસાના ૩ર યુવાન પુત્રોને સાથે લીધાં. .. ૫૫૦ વિષધર સર્પને ઘરમાં રાખવો મુશ્કેલ છે. હાથી અને સિંહ જેવા જંગલી પશુઓનું વાડથી રખોપું કરવું મુશ્કેલ છે. જો તેના દ્વારે બેસીએ તો આપણને નિત્ય રત્નની પ્રાપ્તિ થઈ શકે. ... પપ૧ ચોકીદારો દ્વારા સુજ્યેષ્ઠાને જાણ કરવામાં આવી કે, “શ્રેણિક મહારાજા આવી રહ્યાં છે.” સુજ્યેષ્ઠાના હૈયામાં મહારાજા શ્રેણિકને મળવાનો અત્યંત ઉત્સાહ હતો. સુચેષ્ઠાએ હર્ષના અતિરેકમાં ચેલણાને પણ ત્યાં બોલાવી. બન્ને બહેનો (પુનર્વસુ નક્ષત્રની જેમ) સદા અવિયોગી રહેતી હતી. ... પપર મહારાજા શ્રેણિક જ્યારે સુજ્યેષ્ઠાના મહેલમાં પહોંચ્યા ત્યારે ત્યાં રાજકુંવરી ચેલણા હતી. અચાનક સુજ્યેષ્ઠાને પોતાનો દાગિનાની પેટી યાદ આવી. સુજ્યેષ્ઠા દાબડો લેવા મહેલમાં ગઈ ત્યારે મહારાજા શ્રેણિકના સેવકોએ કહ્યું, “રાજન ! તમે અહીં ઊભા રહેવાની મૂર્ખતા ન કરો. ...૫૫૩ તમે શત્રુઓના ઘરમાં વધુ સમય શામાટે રોકાયા છો? જો આપણે પકડાઈ જશું તો બંધન-ફાંસી થશે. રાજકુમારીને લઈ અહીંથી જલ્દીથી પ્રણાય કરો જેથી આપણી અભિલાષા પૂર્ણ થાય.” ... ૫૫૪ સેવકના વચનો સાંભળી મહારાજા શ્રેણિકે રાજકુમારીને ઝડપથી રથમાં બેસાડી રથ રાજગૃહી નગરી તરફ સુરંગ માર્ગે પુરપાટ જોશમાં દોડાવ્યો. થોડીવારમાં પાછળ આભૂષણની પેટી લઈ સુજ્યેષ્ઠા પોતાના મહેલમાં પાછી આવી. ... ૫૫૫ (૧) સુજયેષ્ઠા અને ચિલ્લણા (ચેલા) સુરંગમાં શ્રેણિક રાજાની પાછળ ચાલવા લાગી. ચેલણાએ વિચાર્યું, ‘સુયેષ્ઠા મારાથી વધુ સ્વરૂપવાન છે. મહારાજા તેને વધુ ચાહશે.’ષબુદ્ધિથી પ્રેરાઈને તેણે સુયેષ્ઠાને કહ્યું, “બહેન આપણા રત્નની પેટી મહેલમાં રહી ગઈ છે.' સુજ્યેષ્ઠા તે લેવા મહેલમાં ગઈ ત્યારે ત્યાં ઊભા રહેવું યોગ્ય ન હોવાથી શ્રેણિક અને ચેલણા ભાગી છૂટયા. (સંસાર સપના કોઈ નહી અપના - પૃ.૭૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy