________________
જૈનસાહિત્યની ડાયરી
૧૭ - - - - - -
શિક્ષક કહે, “વાહ ધરણંદ્ર ! વિષય તો બહુ સરસ શોધી કાઢ્યો. મને એ વિશે જે કંઈ માહિતી છે તેનો ખ્યાલ તમને આપીશ. તમે પ્રશ્ન પૂછો ને હું જવાબ આપું તો બહુ ઠીક પડશે.”
પહેલા વિદ્યાર્થીએ ઊભા થઈ પ્રશ્ન પૂછયો : “ગુરુજી ! આપણા સાહિત્યમાં કેટલાં પુસ્તકો હશે?”
શિક્ષક કહે : “એની ગણતરી થઈ શકે તેમ નથી. પ્રભુ મહાવીરના સમયથી આજ સુધીમાં અનેક પુરુષો થઈ ગયા છે. તેમણે જુદા જુદા વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો રચ્યાં છે. દાખલા તરીકે પૂ. ઉમાસ્વાતિ વાચક નામના આચાર્ય ૫૦૦ ગ્રંથ રચ્યા છે. શ્રી હરિભદ્રસૂરિએ એકલાએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે ૩ ક્રોડ શ્લોક જેટલું સાહિત્ય લખ્યું છે અને શ્રીમદ્ યશોવિજયજી મહારાજે ૧૦૮ મહાન ગ્રંથો લખ્યા છે. આવા અનેક જ્ઞાની મહાત્મા થઈ ગયા છે એટલે પુસ્તકોની સંખ્યા કહેવી મુશ્કેલ છે.
બીજો વિદ્યાર્થી : જેમ હિંદુઓમાં ગીતા મુખ્ય મનાય છે, મુસલમાનોમાં કુરાને શરીફ મુખ્ય મનાય છે, ખ્રિસ્તીઓમાં બાઇબલ મુખ્ય મનાય છે એમ આપણા ધર્મમાં મુખ્ય ગ્રંથ કયો મનાય છે?
શિક્ષક: આગમો. આગમો એ આપણું પરમ પવિત્ર ને સહુથી પ્રમાણભૂત સાહિત્ય છે. એને સૂત્ર, શાસ્ત્ર, સિદ્ધાંત કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org