________________
જૈનસાહિત્યની ડાયરી
નદીનો કિનારો છે. મકાન સાદું છતાં સુઘડ છે. તેની આસપાસ મોટું ચોગાન છે. તેમાં સ્થળે સ્થળે વૃક્ષો ઊગેલાં છે. વીર પ્રભુનાં નાનાં નાનાં બાળકો તેમાં અહીંતહીં બેઠેલાં દેખાય છે. એવામાં ઘંટ વાગ્યો એટલે બધાં બાળકો એક વૃક્ષ નીચે એકઠાં થઈ ગયાં. થોડી વારમાં એક યુવાન શિક્ષક ત્યાં આવી પહોંચ્યા.
તે આવી પહોંચતાં બાળકોએ ઊભાં થઈ પ્રણામ કર્યા. તેમણે બેઠક લીધી એટલે બધાંએ બેઠક લીધી. પછી બધાએ એક જિનસ્તવન ગાયું. તે પૂરું થતાં સઘળે શાંતિ છવાઈ ગઈ.
શિક્ષકે પ્રશ્ન કર્યો: ‘મિત્રો ! આજે ક્યા વિષય પર વાત કરીશું?” બધા વિચારમાં પડ્યા ત્યારે ધરëદ્ર નામનો એક વિદ્યાર્થી બોલ્યો : “ગુરુજી! અમે છઠ્ઠી શ્રેણીનો અભ્યાસ કરીએ છીએ, પણ જૈન સાહિત્ય વિશે કંઈ જાણતા નથી તો એને વિશે કંઈક કહો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org