SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૭ - - - - - - નિર્ગથ પ્રવચન એવા નામે પણ ઓળખવામાં આવે છે. એની સંખ્યા પહેલાં ૮૪ની હતી, હાલ ૪પની છે. ત્રીજો વિદ્યાર્થી એ વિશે જરા વધારે સમજાવવા કૃપા કરશો ? શિક્ષક તીર્થકર ભગવાન બહુ સાદી ને સચોટ ભાષામાં ઉપદેશ આપે છે. એમનું દરેક વાક્ય અગાધ જ્ઞાનથી ભરેલું હોય છે. એમના મુખ્ય શિષ્ય આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે ને બીજા તેને મુખપાઠ કરી લે છે. પ્રભુ મહાવીરે પણ એ જ રીતે ઉપદેશ આપ્યો ને તેમના અગાધ જ્ઞાની શિષ્ય સુધર્માસ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો. એના મોટા બાર ભાગ છે. દરેક ભાગ અંગ કહેવાય છે એટલે એ બધાં સૂત્રોને દ્વાદશાંગી કહેવાય છે. એ અંગો રચ્યા પછી ઉપાંગ, પન્ના, છેદસૂત્ર, સૂત્ર તથા મૂળ સૂત્રો રચાયાં છે. એમનાં નામ ખૂબ ઉપયોગી હોવાથી તમને જણાવું છું. દરેક જણ કાળજીપૂર્વક લખી લો : ૪૫ આગમો વિભાગઃ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦પયના, છેદસૂત્ર, ૨ સૂત્ર, ૪ મૂળ સૂત્ર અગિયાર અંગ : (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સમવાયાંગ (૪) ઠાણાંગ (૫) વિવાહપ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005446
Book TitleNandishen Jain Sahityani Diary
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy