________________
ગિરિનગર દાર્જિલિંગ દાર્જિલિંગના રસ્તામાં
આપણું ગુજરાત હિન્દના પશ્ચિમ કિનારે રહ્યું, જ્યારે દાર્જિલિંગ ઈશાન ખૂણામાં આવ્યું. એટલે દાર્જિલિંગના મુસાફરને આખાયે હિન્દની મુસાફરી થાય. ગુજરાતની રસાળ ભૂમિ, મુંબઈના દરિયાકિનારાને પ્રદેશ, પશ્ચિમઘાટના રળિયામણું ડુંગરા, અને મધ્ય હિન્દની ખીણે તથા ઉચ્ચ ભૂમિ વટાવી, એ દૂર પૂર્વમાં કલકત્તા સુધી આવી પહોચે છે. કલકત્તા છોડી દાર્જિલિંગ જતાં પ્રથમ તો ગંગાનાં સપાટ ફળદ્રુપ મેદાને આવે. આગગાડીની બારીમાંથી ડેકિયું કરે તે દૂર નજર પહોંચે ત્યાં સુધી શણ કે ડાંગરનાં ખેતરે જ દષ્ટિએ પડે. ડુંગરા કે ટેકરીઓનું નામ ન મળે. ગંગાની ખીણુ વટાવી એટલે હિમાલયનાં ચઢાણ ચઢવાં શરૂ થાય. આમ ગુજરાતમાંથી દાર્જિલિંગ જનારની આંખ નીચે હિન્દના વિવિધ પ્રદેશે આવી જાય.
પહેલાં ઠેઠ દાર્જિલિંગ સુધી આગગાડી ન હતી, એટલે મુસાફરોને ઘણી મુશીબત પડતી. સરસામાન સાથે માઈલો સુધી ગાડામાં ને હેડકામાં મુસાફરી કરવી પડતી. એની મુશ્કેલીને ખ્યાલ તો એવી સફર જેણે કરી હોય તેને જ આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org