________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧
ن.ت.ث.
.ت.
કાંઈક યુક્તિ કરી મારે તેમની સાન ઠેકાણે આણવી જોઈએ. રાજકુમારીએ કળા-કારીગરી કરનારને બોલાવ્યા. તેઓને કહ્યું:
આબેહૂબ મારા જેવી જ સોનાની મૂર્તિ બનાવો. મારા જેવાં જ વસ્ત્ર, આભૂષણો ને અલંકાર પહેરાવો. ભલભલી આંખો ભુલાવો ખાય એવી કરામત કરો. સોનાની પૂતળીને અંદરથી પોલી રાખજો. માથે ઢાંકણું રાખજો.”
અરે, એક તરફ લડાઈના દોર ને બીજી તરફ રાજકુમારીને આ શી રમત સૂઝી ? રાજા કુંભ વિચારમાં પડ્યા છે. કુમાર મલ્લદિન વિમાસણ કરે છે.
મૂર્તિ થઈ પૂરી ! અરે, આબેહૂબ રાજકુમારી જોઈ લો ! એક બનાવ્યું સુંદર મકાન. એનું નામ માયામંદિર. એમાં વચ્ચોવચ એ મૂર્તિ પધરાવી. બંને બાજુ ત્રણ-ત્રણ સિંહાસન મુકાવ્યાં.
પિતાજી કહે: પુત્રી, તું શું કરે છે, એ અમે કાંઈ સમજતા નથી, પણ એટલું સમજીએ છીએ, કે તું વિવેકી છે. વિવેકી કરે તે સારું જ હોય.
“પિતાજી, હું લડવા આવેલા રાજાઓને સમજાવવા માટે આ બધું કરું છું.'
“સમજાવવા ? એ પામર મોહી રાજાઓ તારાથી સમજશે? અરે, બેટી ! લડાઈથી ડરીશ નહીં. અમારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org