________________
તીર્થકર શ્રી મલ્લિનાથ
- - - - - વાત પૂછી. સહુની વાત સાંભળીને કહ્યું
ભાઈઓ, દિલગીર છું, કે તમને ના કહેવી પડે છે. મારી પુત્રી મારે પુત્રસમાન છે. એણે જીવનભર બ્રહ્મચારિણી રહેવાનો નિર્ણય કર્યો છે.”
સહુ નિરાશ થઈને પાછા ફર્યા. જઈને પોતાના રાજાઓને વાત કરી. બધા ગર્જી ઊઠ્યા : “અરે, બધું તરકટી છે. આમ કહીને બીજે ક્યાંય પરણાવવી હશે. અરે, આ તો સ્ત્રીરત્ન ! એમ ને એમ, રાજીખુશીથી માને તો ઠીક, નહીં તો જોરજબરીથી પરણી લાવીશું. કન્યાહરણ તો જૂનો રાજધર્મ છે.
ડંકોનિશાન દેવાયાં. લશ્કર સાબદાં થયાં.
રાજા કુંભ ડરે એવા નહોતા. સામી છાતીએ છએ રાજાની ખબર લેવા તૈયાર થયા. મિથિલા પાસેના મોટા મેદાનમાં સામસામી છાવણીઓ પડી. એક તરફ છ રાજાનાં લશ્કરો. એક તરફ એકલું મિથિલાનું લશ્કર !
નિશાનડંકા ગડગડે છે. શરણાઈઓ ગાજે છે. ઘોડા હણહણાટી દે છે. લશ્કર હાકોટા કરે છે.
ડાહ્યા કુમારી મલ્લિકા વિચારે છેઃ અરે, મારે કારણે આ યુદ્ધ થશે. આ બધા અજ્ઞાની છે. અજ્ઞાનીને મોહ થાય જ. મારે તેઓની ઉપર તિરસ્કાર ન કરવો જોઈએ. દયા ને સહાનુભૂતિ બતાવવી જોઈએ. અજ્ઞાની તરફ ગુસ્સો શા માટે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org