________________
૨૨
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૧
.
.
.ت.
.ت.
બનાવી શકયા. બિચારાઓ રાત માથે લઈને નાઠા. આપના જ શહેરમાં આવીને વસ્યા છે. ખાતરી કરવી હોય તો કરી જુઓ.”
અરે, એમાં ખાતરી કેવી ! સારી હશે, તો માનતી થશેઃ નહીં તો અંતઃપુર મોટું છે. અનેક રાણીઓ છે, એમાં એક વધુ. જાઓ, પુરોહિતજીને કહો કે તાકીદે માથું મૂકે.
આ તરફ આમ બન્યું. ત્યાં વળી ચંપાનગરીના રાજવીએ એક દહાડો કેટલાક વહાણવટીઓ પાસેથી આ નામ સાંભળ્યું. રાજા કહે, અરે, તમે દેશ-વિદેશ ભમી આવ્યા, પણ કંદ નવી નવાઈ જાણી લાવ્યા?
વહાણવટીઓ કહે : “બીજું તો ઠીક, પણ મિથિલાની રાજકુમારી મલ્લિકાનાં રૂપ-ગુણ વિશે ખૂબ સાંભળ્યું. કહે છે કે, પૃથ્વી પર હજી એવી કન્યા જન્મી નથી, ને જન્મશે પણ નહીં.
ચંપાનગરીના રાજા કહે : “કહો પુરોહિતજીને ! માગું નાખે !'
સુંદર સ્ત્રીનું નામ સાંભળી જેના મોંમાંથી હંમેશાં લાળ ઝરે છે, એવા કોશલના રાજાએ પણ આ દિવ્ય કુમારિકા વિશે સાંભળ્યું ને માગું મોકલ્યું.
છ રાજાઓના સેવકો દડમજલ કરતા મિથિલાનગરી જઈ પહોંચ્યા, ત્યારે રાજાજીએ આદરમાન દીધાં. વિવેકથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org