________________
તીર્થકર શ્રી મલ્લિનાથ
ખોળિયામાં જીવ હશે, ત્યાં સુધી તારો વાળ વાંકો નહીં થાય.”
પિતાજી, હું સંસારમાં લડાઈ કરાવવા માટે જન્મી નથી. મારો જન્મ તો સંસારમાં ચાલતાં યુદ્ધ બંધ કરાવવા માટે છે. જેઓ મારી મૂર્તિ જોઈને મોહાંધ થયા છે, તેમની આંખો એ જ મૂર્તિથી ઉઘાડી નાખવા માગું છું. આપ તેઓને અત્રે બોલાવો. હું તેમની સાથે વાતચીત કરીશ.”
તું? પુત્રી ! મને ડર લાગે છે. એ પામરો...”
પિતાજી, આપણે નિર્મળ ને નિભય હોઈએ, પછી યમરાજથી પણ ડરવા જેવું નથી. વળી તમે સ્ત્રીની શક્તિ જાણતા નથી. શીલવંતી સ્ત્રી ચિત્તા કે વાઘથી પણ ડરતી નથી. સંસારમાં એવો કોઈ પુરુષ નથી, કે જે એવી સ્ત્રીની પાસે ન નમ્યો હોય. આપ લેશ પણ ભીતિ રાખશો નહીં.”
રાજા કુંભે બધા રાજાઓ પાસે દૂત મોકલ્યો. કહેવડાવ્યું કે કુમારી મલ્લિકા તમને મળવા માગે છે.
રાજાઓ તો રાજીના રેડ થઈ ગયા. સુંદર કપડાં ને અલંકારો સજી, બનીઠની સહુ મળવા આવ્યા. દરેક મનમાં વિચારે, કે મલ્લિકા મને જ પસંદ કરશે. આ બીજા રાજાઓ તો મારી પાસે કેવા કુંભાર જેવા લાગે છે. આમ વિચારતા કોઈ મૂછ મરડે છે, તો કોઈ ખોંખારા ખાય છે.
રાજકુમારીએ બનાવેલા માયામંદિરમાં મુલાકાત ગોઠવવામાં આવી. એક રૂપવતી દાસીએ તેઓનું સ્વાગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org