________________
અહિંસા સંસ્કૃતિ
એનાથી પણ મહત્ત્વપૂર્ણ સંયોગ એ રહ્યો કે જર્મન સંસદે યહૂદીઓની ક્ષમાયાચના કરી. સાઈઠ લાખ યહૂદીઓની ‘કોન્સેન્ટ્રેશન કૅમ્પસ'માં હત્યા થઈ હતી. એમણે કહ્યું કે ‘અમે જર્મન ઇતિહાસના બોજાનો સ્વીકાર કરીએ છીએ. દુ:ખ અને શરમ અનુભવીએ છીએ. અમે યહૂદીઓના માનસિક અને ભૌતિક આઘાતોને ઓછા કરવાનું ઇચ્છીએ છીએ.' આ હતું અહિંસાનું સાહસ અને અહિંસાની શક્તિ. આ હતી હિંસાથી અહિંસાની તરફ એક હરણફાળ.
વિશ્વ ધર્મ સંસદ (Parliament of World's Religions)ના દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહે૨માં થયેલા આંત૨૨ાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરતાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ સ્વીકાર કર્યો કે જ્યારે રંગભેદ શાસને એમને વર્ષો સુધી જેલમાં ગોંધી રાખ્યા, ત્યારે તેમણે ગાંધીજીના અહિંસા અને સત્યાગ્રહના સંદેશામાં અતૂટ શ્રદ્ધા રાખી હતી અને તેમને એ વિશ્વાસ હતો કે એક દિવસ તેઓને ન્યાય મળશે અને વિજય થશે. લાંબા અને યાતનામય જેલજીવન દરમ્યાન નેલ્સન મંડેલાએ પોતાના હૃદયમાં અહિંસક સહનશીલતાની શક્તિ ટકાવી રાખી અને છેવટે એમનો વિજય થયો અને ગોરા લોકોના પ્રભુત્વવાળા દેશમાં તેઓ સર્વસંમતિથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
અમેરિકામાં માર્ટિન લ્યૂથર કિંગે ગાંધીજી પાસેથી પ્રેરણા લઈને રંગભેદના વિરોધમાં પોતાની લડત શાંતિમય બનાવી. મોન્ટગોમરીમાં અશ્વેતોની એક વિશાળ સભામાં તેઓએ નીચેના ચિરસ્મરણીય શબ્દો ઉચ્ચાર્યા :
“પચાસ હજાર અશ્વેતોએ રંગભેદ વિરોધી સંઘર્ષમાં અહિંસાના સિદ્ધાંતોને આત્મસાત્ કરી લીધા અને પોતાના અધિકારોને પ્રાપ્ત કરવા માટે એમણે સફળતાથી પ્રેમનું શસ્ત્ર અજમાવ્યું અને આ સંઘર્ષકાળમાં એમને પોતાની માનવીય ગરિમા સમજાઈ.”
આ ઉદાહરણોની તુલનામાં આપણે હિરોશીમામાં ઍટમબૉમ્બથી થયેલા નરસંહારનો વિચાર કરીએ અથવા કમ્બોડિયામાં પૉલ પૉટ (Pol Pot)
Jain Education International
81
For Personal & Private Use Only
www.jainelibrary.org