________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ હિંસાના વધતા વિસ્ફોટક હુમલાઓથી જો આપણે હતાશ થઈ જઈશું તો એ કાયરતા કહેવાશે. હિંસાનો સામનો સફળતાથી કરી શકાય છે, એનાં કેટલાંય પ્રેરક અને જ્વલંત ઉદાહરણ છે :
મહાત્મા ગાંધીએ ભારતને સંપૂર્ણપણે અહિંસક આંદોલન દ્વારા આઝાદી અપાવી. એ સમયે શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય સામે કોણ ટક્કર લેવાની હિંમત કરી શકતું હતું ! ભારતીય દેશભક્તોની હિંસક પ્રવૃત્તિ નાકામયાબ રહી. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીને ફાંસીની શૂળી પર ચઢાવી દેવામાં આવ્યા. ૧૮૫૭ની આઝાદીની લડાઈને એક વિપ્લવ જાહેર કરીને કચડી દેવામાં આવી. પરંતુ જ્યારે ગાંધીએ પોતાનો સત્યાગ્રહ શરૂ કર્યો તો એ જ બ્રિટિશ શક્તિશાળી સામ્રાજ્યની પાયાની ઈંટ હલી
ગઈ.
જમીનદારોના ખેડૂતો અને ભૂમિહીનો પર થયેલા અત્યાચારો અને અન્યાયની ગાથાઓ સર્વત્ર જાણીતી છે. કેટલીય નવલકથાઓ લખાઈ છે અને કેટલાંય ચિત્રપટો બન્યાં છે. ગાંધીજીના સાથી વિનોબા ભાવેએ આ શોષણની સમસ્યાનું અહિંસક સમાધાન વાતચીત અને સમજાવટમાં શોધ્યું. ફળસ્વરૂપે જમીનદારોએ પોતે પડાવી લીધેલી જમીનનો ઘણો મોટો ભાગ “ભૂદાન આંદોલન'માં કિસાનો અને ભૂમિહીનોને સ્વેચ્છાએ આપી દીધો. આ અહિંસા, પ્યાર અને સભાવનાની જીત હતી. ચંબલ ઘાટીમાં લૂંટફાટની સમસ્યા જટિલ બની ગઈ અને ડાકુઓનો આતંક ભયાનક બની ગયો ત્યારે ૧૯૮૦ના દશકામાં મધ્યપ્રદેશની રાજ્ય સરકારે એનો શાંતિપૂર્ણ મસલતોથી ઉકેલ આણ્યો. કુખ્યાત ડાકુરાણી ફૂલનદેવીએ કેટલાય નિર્દોષ વ્યક્તિઓના જાન લીધા હતા, એણે પોતાની જાત સમર્પિત કરી દીધી, અને મુખ્યમંત્રીને રાખડી બાંધી લૂંટફાટને અલવિદા કરી. પાછળથી ફૂલનદેવી સંસદમાં લોકસભાની સભ્ય બની ગઈ. આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસા ધર્મના સંદર્ભમાં એક અત્યંત આધુનિક રાજનૈતિક ઉદાહરણ છે. ઈ. સ. ૧૯૯૦માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ખૂનખરાબી સિવાય પૂર્ણ સદ્ભાવ અને સૌહાર્દથી થઈ ગયું.
80
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org