________________
અહિંસા સંસ્કૃતિ
સંસ્કારને વિકસિત અને પલ્લવિત કરતા રહેવાના સતત પ્રયત્નો જરૂરી બની જાય છે. હિંસાનો સામનો કઈ રીતે કરવો ?
હિંસા સાથે ટક્કર લેવા માટે અને એના પર અંકુશ મૂકવા માટે આખી વસ્તુસ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ. હિંસાને આપણે પૂરી રીતે તો ભાગ્યે જ મિટાવી શકીએ. અગાઉનાં બાંધેલાં કર્મબંધનોના કારણે માનવસ્વભાવમાં કોઈ ને કોઈ કસર રહે છે અને વધુ હિંસક પ્રવૃત્તિવાળા મનુષ્ય સાથે સંબંધમાં આવે ત્યારે મોટાભાગે કોઈ પ્રતિક્રિયાના રૂપમાં ઊપસી આવે છે. વાતાવરણ અને પરિસ્થિતિ પણ હિંસાને ભડકાવે છે અને કેટલાય શાંત સ્વભાવવાળા પણ ઉત્તેજનામાં આવીને હિંસા કરી બેસે છે.
સામાજિક સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે પણ હિંસાની વાસ્તવિકતા દેશો વચ્ચેની હથિયારોની સ્પર્ધામાં દેખાય છે. શાંતિ અને સમાધાન શોધવાને બદલે આપણે વધુ સંહારક અસ્ત્ર-શસ્ત્ર બનાવવામાં લાગી જઈએ છીએ.
હિંસાને મિટાવવા માટે સમાજમાં હિંસક પ્રવૃત્તિને ધીમે ધીમે ઓછી કરવી પડશે અને એ ત્યારે થશે જ્યારે વ્યક્તિગત સ્તરે અને સમાજના સ્તરે અહિંસાની શક્તિને સમજવામાં આવે અને સમજાવવામાં આવે. અહિંસા માટે સમાજમાં પ્રશિક્ષણ ઇચ્છનીય છે અને સાથે શાંતિવર્ધક દૃષ્ટિકોણ અને મનોવૃત્તિ પણ જરૂરી છે. આખરે જૈન દર્શન અનુસાર અહિંસા વિકસશે, ત્યારે આપણે બધા આત્માનુશાસન તરફ આગળ વધીશું, સ્વાર્થની વૃત્તિને ઓછી કરીશું અને અધિકાધિક સહિષ્ણુ અને ઉદાર થવાનું શીખીશું.
હિંસા અને અહિંસાનો યુગ-યુગાંતરથી સંઘર્ષ ચાલે છે. જ્યારે જ્યારે શાંતિ છવાયેલી રહી અને અહિંસક વાતાવરણ રહ્યું, ત્યારે સદેવ સભ્યતા, સંસ્કૃતિ અને લલિતકળાઓ ઉન્નત થઈ છે. આજે હિંસાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે, ત્યારે અહિંસાના સંદેશને હિંમત, ધીરજ અને સૂઝબૂઝથી ખૂબ સુનિયોજિત રૂપે ફેલાવવો પડશે. જૈન ધર્મનો શાશ્વત સંદેશ એ છે કે અહિંસા ધર્મ બધે વ્યાપ્ત બને. એમાં માનવનું, પ્રકૃતિનું, પ્રાણી જગતનું અને સમગ્ર પર્યાવરણનું કલ્યાણ છે.
79.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org