________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
બંનેના અંશો રહેલા હોય છે. જો કષ્ટ, વ્યથા, ત્યાગ સહન કરવાની શક્તિ ઘટી જાય તો હિંસાની પ્રવૃત્તિ ઊપસી આવે છે. આ હિંસાની પ્રવૃત્તિ માનસિક અને શારીરિક બંને હોઈ શકે છે. એટલે જૈન ધર્મમાં સંયમ, ત્યાગ, વ્રત, ઉપવાસ, ધ્યાન, સામાયિક, સ્વનિયંત્રણ તથા અપરિગ્રહ પર વધુ ભાર આપવામાં આવ્યો છે. જો આપણે પોતાના આત્માને અનુશાસિત રાખીએ, ઇચ્છાશક્તિને નિયંત્રિત રાખીએ તો, હિંસાપ્રવૃત્તિ ક્ષીણ થશે અને અહિંસા આંતરિક ઊર્જા અને શક્તિનો વિકાસ કરી દેશે. જૈનદર્શનમાં ભાર અપાયો છે કે પહેલાં જાતે પોતાના પ્રત્યે અહિંસક બનો અને પછી બીજા પ્રત્યે. કારણ કે આ રાગદ્વેષના કોલાહલથી ભરેલી દુનિયામાં દુઃખ અને વ્યથાની એવી થપાટો આવે છે કે કેટલાય મનુષ્ય આત્મહત્યા કરી દે છે. આપણા આત્માના અહિંસક સંસ્કાર આપણને આવેશ અને આવેગમાં આવવાથી રોકશે. આપણો વધતો જતો આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નો જ આપણને અહિંસાની શક્તિનો પરિચય કરાવશે ત્યારે અહિંસાનો સૂર્યોદય થશે. એક ગુજરાતી કવિએ યોગ્ય જ કહ્યું છે :
“રવિ રવિ કરતા રે રજની નહીં ટકે રે જી,
પણ અંધારું હો અર્ક ઊગ્યાથી રે જાયે.” આચાર્યપ્રવર મહાપ્રજ્ઞજી લખે છે :
“જો સુખશાંતિથી જીવવું હોય તો અહિંસાની આસ્થા પેદા કરવી પડશે. અહિંસાની આસ્થા પેદા કરવી હોય તો સુવિધાકારી અને પદાર્થવાદી દૃષ્ટિકોણને બદલવો પડશે. આ ખૂબ “સાંકડી ગલી” છે, પણ આમાંથી નીકળ્યા વગર આપણે સામાજિક મૂલ્યોના વિકાસની વાત અથવા શાંતિપૂર્ણ જીવન જીવવાની વાત વિચારી પણ નહીં શકીએ, માટે આપણે સહિષ્ણુતા અથવા વૈર્ય-વિકાસ કરવો જ પડશે.”
જૈન ધર્મમાં “અહિંસા પરમો ધર્મ:' કહેવામાં આવ્યું છે. અહિંસાને શિખરની ઉપર મહાધર્મ રૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો છે. ઉચ્ચતમ શિખર ઉપર પહોંચવું સરળ નથી; કેટલીય મુશ્કેલીઓ છે, કેટલાય વિચ્છેદ છે; મનુષ્યના સ્તરે કર્મબંધન છે; સામાજિક સ્તરે સામૂહિક, નૈતિક ઉત્તરદાયિત્વની ખોટ છે એટલે અહિંસાના
'*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org