________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
જીવનમાં અનૈતિક, હિંસક તથા દુરાચારી કામ કરે અને અન્ય જીવોને દુ:ખ પહોંચાડે – તો એને પુનઃ તિર્યંચગતિમાં જવું પડશે.
બધા જીવોના આત્મા એક સ્તરના છે. એક અર્થમાં આને જૈન ધર્મ દ્વારા સમર્થિત આધ્યાત્મિક સમાજવાદ (spiritual Socialism) કહી શકાય. આની પાછળ સમાનતા, સહિષ્ણુતા અને પારસ્પરિક નિર્ભયતાની ભાવના છુપાયેલી છે.
સમગ્ર સંસારમાં જીવોનો ફેલાવો સર્વવ્યાપી છે. જૈન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે તિર્યંચો એવા પ્રકારના જીવરૂપો છે, જેની સંવેદનશીલતાનો આદર કરવો અહિંસા ધર્મનું મૂળતત્ત્વ છે.
(૧) એકેન્દ્રિય સ્થાવર : જેમાં પૃથ્વીકાય, જલકાય, વાયુકાય, અગ્નિકાય તથા વનસ્પતિકાય. આ બધા સચિત્ત દશામાં હવા પર જીવે છે. વૃદ્ધિ પામે છે અને હવા ન મળવાથી નાશ પામે છે. જીવસહિતના સચિત્ત પદાર્થોનાં ઉદાહરણ છે, ખેતરની માટી, કૂવા, વાવ, નદીનું પાણી, સળગતો અગ્નિ, ભેજવાળી હવા, ફળફૂલ, પાંદડાં-ડાળીઓ અને હરિયાળી. એકેન્દ્રિય જીવ સ્પર્શની અનુભૂતિ કરી શકે છે.
(૨)બેઇન્દ્રિય : જેમ કે શંખ, છીપ, અળસિયું, અગ્નિની ઝાળ - આ બધાંને સ્પર્શ અને સ્વાદ, એમ બે ઇન્દ્રિય હોય છે.
(૩) ત્રેઇન્દ્રિય : જેમ કે મંકોડા, વીંછી, ધનેડું, જૂ, માંકડ વગેરે - આ બધાંને સ્પર્શ, સ્વાદ અને ગંધ એમ ત્રણ ઇન્દ્રિય હોય છે.
(૪) ચૌરેન્દ્રિય : જેમકે મચ્છર, ભમરો, પતંગિયું, માખી વગેરેને સ્પર્શ, સ્વાદ, ગંધ અને દૃષ્ટિ એમ ચાર ઇન્દ્રિયો હોય છે.
(૫) પંચેન્દ્રિય : મનરહિત અસંગ્લી : જેમકે પાણીમાં પેદા થનારા સર્પ, એને સ્પર્શ, સ્વાદ, ગંધ, દૃષ્ટિ અને શ્રવણ એમ પાંચ ઇન્દ્રિયો હોય છે.
(૯) પંચેન્દ્રિય : મનસહિત સંજ્ઞી : જેમાં ચાર પગવાળાં ગાય, ભેંસ, હરણ, કૂતરો, બિલાડી, હાથી, ઘેટા, ઊંટ; બે પગવાળાં પક્ષી જેમાં મોર, કબૂતર, સમડી, હંસ, મેના, પોપટ વગેરે; પેટથી ચાલનારાં નાગ તથા પાણીમાં રહેવાવાળી માછલી, મગર, કાચબો વગેરે. આ બધાંની અંદર મન એક સૂક્ષ્મ હૃદયાવસ્થામાં
1 76.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org