________________
અહિંસા સંસ્કૃતિ
મજાનું ઉદાહરણ છે, જ્યારે એક ધનાઢ્ય મુનિરાજ પર જંગલમાં એક સિંહે હુમલો કર્યો, એક જંગલી સૂવર મુનિરાજને બચાવવા સિંહ પર ત્રાટક્યો અને એને મારી નાખ્યો. પરંતુ સિંહે મરતાં મરતાં સૂવરને મારી નાખ્યો. જૈન શાસ્ત્રોમાં સિંહ નરકમાં ગયો અને સૂવર સ્વર્ગમાં. સિંહનો ઉદ્દેશ મારવાનો હતો, સૂવરનો ઉદ્દેશ બચાવવાનો હતો. મારવું સહજ હિંસક પ્રવૃત્તિ છે, બચાવવું એ મોટા સાહસનું કામ છે.
ગૃહસ્થ ધર્મમાં એવી જોગવાઈ રાખવામાં આવી છે કે હિંસાની માત્રા ન્યૂનતમ હોય અને તે કોઈ પણ દૃષ્ટિથી સંકલ્પી ન થઈ જાય. પરંતુ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગનાં પાંચ મહાવ્રતો રાખનારા શ્રમણો તપમાં લીન રહે છે, એમની જીવનચર્યામાં આરંભી હિંસાનું સ્થાન નથી અને એમની આચારસંહિતામાં આ સંબંધમાં કઠોર અનુશાસનનો પ્રબંધ છે. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ માટે અહિંસાપાલન, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચરિત્રના વર્તુળમાં રહેવાનું શાસ્ત્રોમાં વારંવાર દોહરાવવામાં આવ્યું છે. પ્રાણીજગતની વિવિધતા તથા પરસ્પરોપગ્રહો જીવાનામ્ :
અહિંસાના સંદર્ભમાં જૈન ધર્મમાં પ્રાણીજગતનું વર્ણન બહુ વિસ્તૃત અને વિશદ રૂપે કરવામાં આવ્યું છે. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે જૈનોમાં સમર્થન પામેલો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક અને ગાઢ અધ્યયનશીલ છે – તેઓ માત્ર ભાવનાત્મક પ્રવાહમાં તણાયા નથી.
જૈન શાસ્ત્રોમાં બધા જીવોની ચાર ગતિ બતાવવામાં આવી છે : તિર્યંચગતિ, મનુષ્યગતિ, નરકગતિ, દેવગતિ. જીવાત્માની યાત્રા પોતાનાં શુભ અથવા અશુભ કર્મો અનુસાર જન્મ-મરણના ચક્રમાં તિર્યંચગતિથી મનુષ્યમાં જન્મજન્માંતર સુધી ચાલતી રહી છે. પૂજ્યપાદ સ્વામી સર્વાર્થસિદ્ધિમાં કહે છે : “અત્ર જીવા અનાદિ સંસારેડનંતકાલ નાનાયોનિષ દુ:ખ ભોગ ભોગે પર્યટન્તિ” (આ જગતમાં જીવ અનાદિકાળથી અનંતકાળ સુધી અનેક યોનિઓનાં દુ:ખ ભોગવતા ભ્રમણ કર્યા કરે છે.) જૈનોનો અહિંસાધર્મ કોઈ પણ જીવ, સૂક્ષ્મતમ અથવા મોટો - બધા આત્માઓને સમાન દરજ્જો આપે છે. જો માનવજીવન પામીને પણ માનવ
YYY 15.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org