________________
જેન ધર્મઃ વારસો અને વૈભવ
અહંકાર આપણા મનમાં કષાય ભરી દે છે અને ભાવહિંસા થાય છે. જ્યારે દ્રવ્યહિંસામાં પ્રત્યક્ષ યાતના પહોંચાડવી અથવા ઘાતક હુમલો કરાય છે, જે ભાવહિંસાથી પ્રેરિત હોય છે. આથી મનમાં અહિંસાના સંકલ્પને સુદઢ કરવો આવશ્યક છે.
વિશેષ કરીને ગૃહસ્થોને માટે જૈન ધર્મમાં અહિંસાને તર્કસંગત અને વ્યવહારિક રૂપ આપવામાં આવ્યું છે. હિંસાના પ્રકારોને સ્પષ્ટ દૃષ્ટિકોણથી જોવામાં આવ્યા છે. તેમાં વ્યાવહારિકતાનો અંશ પણ છે. હિંસા ચાર પ્રકારની હોઈ શકે : (૧) ઇરાદાપૂર્વક થયેલ – સંકલ્પી, (૨) આરંભી અથવા આકસ્મિક, (૩) ઉદ્યમી, (૪) વિરોધી. - સંકલ્પી (ઇરાદાપૂર્વકની) હિંસા જાણીબૂઝીને કરવામાં આવે છે. ધર્મના નામે યજ્ઞમાં પશુબલિ ચડાવવો, માંસાહાર કરવો કે જીભના સ્વાદને માટે પશુઓના પ્રાણ લેવા. આતંકવાદીનું હિંસક અભિયાન, બીજા દેશ પર યુદ્ધનું એલાન અને બૉબવર્ષા અથવા હિરોશિમા પર અણુબોંબ વિસ્ફોટ એ સંકલ્પી હિંસા છે. તે દૃઢ નિશ્ચય અને સાહસથી કરાય છે. સંકલ્પી હિંસાએ ધીરે ધીરે એટલું વિકરાળ રૂપ લઈ લીધું છે કે એને સમાપ્ત કરવા માટે અહિંસાની પૂરી શક્તિ જનમાનસમાં જગાવવી પડશે.
આકસ્મિક અને આરંભી હિંસામાં મુખ્ય સંકલ્પ કોઈ બીજો છે, પરંતુ સાથે આકસ્મિક હિંસા બની જાય છે. એને ઓછામાં ઓછા સ્તર પર રાખી અને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઉદ્યમી વ્યક્તિ જ્યારે ખેતીવાડી કરે છે, કારખાનાં ચલાવે છે, વાણિજ્યકર્મ કરે છે, શિલ્પ અને નિર્માણ કાર્ય કરે છે, તો જીવહિંસા થાય છે. એ જ રીતે દેશ પર અથવા વ્યક્તિ પર આક્રમણખોરોનો હુમલો થાય, ત્યારે સુરક્ષા માટે વિરોધી હિંસા થઈ શકે છે. પ્રત્યક્ષ જીવનમાં આવા અનુભવ વ્યાપકપણે આવે છે.
ભામાશાહે મહારાણા પ્રતાપને પોતાના દેશની સ્વતંત્રતા બચાવવા માટે પોતાના જીવનભરની કમાણી યુદ્ધહેતુ માટે આપી દીધી. ભારત-પાકિસ્તાનના યુદ્ધ સમયે લોકોએ ધન, આભૂષણ સમર્પી દીધાં હતાં. પૌરાણિક ગાથામાં એક
74
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org