________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
પરિગ્રહત્યાગ જેવા અન્ય સિદ્ધાંતો અંતરંગરૂપે સમાવિષ્ટ છે. જૈન ધર્મના મુખ્ય સ્તંભો છે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત. અપરિગ્રહ અને અનેકાંત અહિંસા તત્ત્વમાંથી જ પ્રવાહિત થાય છે અને એમાં જ સમાઈ જાય છે. અહિંસા સંપૂર્ણ જીવજગતના જીવવાના અધિકાર, અપરિગ્રહ પારસ્પરિક નિર્ભરતા તથા અનેકાંત આચાર અને વિચારમાં સહિષ્ણુતા અને સહઅસ્તિત્વને પ્રતિષ્ઠિત કરે છે. આ ત્રણે તત્ત્વો સમરસ થઈને અહિંસા સંસ્કૃતિનો વિસ્તૃત, ગહન અને વ્યાપક નિયત માર્ગ દર્શાવે છે અને શાંતિ, તટસ્થતા તથા સૌહાર્દના પાયાને મજબૂત કરે છે. વસ્તુત: અહિંસા અને હિંસા સારા અને ખરાબનાં પ્રતીક છે. અહિંસા સમ્યકત્વ છે તો હિંસા મિથ્યાત્વ. આચાર્ય શ્રી રજનીશ ‘આચાર્યદર્શન'માં લખે છે :
“આત્માની શુદ્ધ પરિણતિ અહિંસા છે, અશુદ્ધ પરિણતિ હિંસા છે. તે વ્યવહારની નહીં, મુખ્યત્વે સત્યની સૂચના છે. પહેલાં સત્યશુદ્ધિ કરવાની હોય છે. વ્યવહાર તો આપમેળે બદલાઈ જાય છે. જ્ઞાન પરિવર્તિત હોય તો આચારમાં પરિવર્તન થઈ જાય છે.”
ભગવાન મહાવીરે કહ્યું છે કે અહિંસાનું આચરણ માત્ર બીજા પ્રતિ કૃપા, યા અથવા દાનના ગુણ દર્શાવવાની ઇચ્છાથી નહીં, પરંતુ એનાથી ઘણી વધુ સ્વયંની આત્મશુદ્ધિ અને કલ્યાણને માટે છે. આ ભાવનાથી આપણે અહિંસક આચરણ કરીશું તો આપણી નિષ્ઠા વધુ દૃઢ થશે. આમાં સ્વહિત અને ૫૨માર્થવૃદ્ધિનો સુંદર સુમેળ થાય છે. અહિંસાનું મુખ્ય તત્ત્વ આત્મનિયંત્રણ છે. કારણ કે આપણો અનિયંત્રિત આવેશ જ આપણી વૃત્તિઓ અને વિચારોને હિંસક બનાવે છે.
જૈન ધર્મની અહિંસા એ એક સક્રિય તત્ત્વ છે. એ કહેવા માટે કે પુનરાવર્તન માટે નથી, કિંતુ આચરણ માટે છે. જૈન આગમો અને ધર્મગ્રંથોમાં લખ્યું છે કે વ્યક્તિએ બીજાં પ્રાણીઓ પ્રત્યે પાપવર્ધક હિંસક વ્યવહાર કરવો નહીં, કરાવવો નહીં કે કોઈ કરે તો તેને અનુમોદન આપવું નહીં. અહીં “અહિંસાનું સામાજિક અનુશાસન (Social discipline of non-violence) દર્શાવ્યું છે.”
અહિંસા માત્ર હિંસાથી બચવા માટે નથી. અહિંસા માંગે છે બીજા પ્રત્યે પ્રેમ અને ઉદારતા. ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, ૫૨દુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે' આ સ્પષ્ટ દર્શાવે
Jain Education International
70
For Personal & Private Use Only
www.jainelibrary.org