________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
થઈ ગયા. ખરતગચ્છ સંપ્રદાયના ઘણા અનુયાયી વિશેષ કરીને મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં છે. આ ગચ્છ આચાર્ય જિનેશ્વરસૂરિ દ્વારા પ્રવર્તિત છે અને શાસ્ત્રસમ્મત શ્રમણ પરંપરા કહીને એને વર્ણિત કરવામાં આવે છે. આમાં અત્યાર સુધી ચાર દાદા ગુરુ થયા છે : શ્રી જિનદત્તસૂરિજી (૧૨મી શતાબ્દી), મણિધારી જિનચંદ્રસૂરિજી (૧૩મી શતાબ્દી), જિનકુશલસૂરિજી (૧૪મી શતાબ્દી) તથા જિનચંદ્રસૂરિજી (૧૭મી શતાબ્દી). આ ગચ્છની વિશિષ્ટતા એ છે કે ભારતમાં કેટલાંય સ્થાનોમાં સુરમ્ય વાતાવરણમાં દાદાવાડીની સ્થાપના થઈ છે, જેમાં દાદાગુરુઓનાં પાદચિહ્ન રાખવામાં આવ્યાં છે અને તેની પૂજા કરવામાં આવે છે. ચૈત્યવાસી પરંપરાના મુનિઓએ વિહાર છોડીને મંદિરોમાં રહેવાનું શરૂ કર્યું હતું અને તેઓ યતિ-જતિ કહેવાયા. આ પરંપરા હવે ઘણી ક્ષીણ થઈ ગઈ છે.
સ્થાનકવાસી : આ પંથનો પ્રારંભ ઈ. સ. ૧૪૭૪માં લોકાશાહ દ્વારા થયો હતો અને આનું મુખ્ય તત્ત્વ હતું મંદિરોની જગ્યાએ સ્થાનકોમાં સાધના, ભક્તિ અને ઉપાસના કરવી અને મૂર્તિપૂજા ન કરવી. આ એક અધ્યાત્મપ્રધાન સંપ્રદાય છે માટે એને હૂંઢિયા તથા સાધુમાર્ગી કહીને પણ બોલાવવામાં આવે છે. આ પંથ પોતાને શ્રમણસંસ્કૃતિની ક્રાંતિકારી પરંપરા રૂપે જુએ છે. તેણે સાધના, ભક્તિ અને ઉપાસનાને પ્રાધાન્ય આપ્યું. તેમાં મુનિ અને મહાસતીજીઓ મોં ઉપર આખો સમય મુહપત્તી (પટ્ટી) બાંધે છે અને શ્વેત વસ્ત્રો પહેરે છે. સ્થાનકવાસી ૪૫ શ્વેતાંબર શાસ્ત્રો (આગમો)માંથી માત્ર ૩૨ને મૌલિક માને છે. સ્થાનકવાસી મોટાભાગે ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે. પણ હવે દેશના કેટલાય ભાગોમાં ફેલાઈ ગયા છે. આ સંપ્રદાયે ૧૯૫૨માં શ્રમણ સંઘની સ્થાપના કરી અને અત્યાર સુધીમાં આચાર્ય આત્મારામજી (પ્રથમ), આચાર્ય આનંદઋષિજી (દ્વિતીય), આચાર્ય દેવેન્દ્રમુનિજી (તૃતીય) તથા વર્તમાનમાં આચાર્ય ડૉ. શિવમુનિ (ચોથા પટ્ટધ૨) થયા છે. પટ્ટધરોના પૂર્વ વિખ્યાત આચાર્ય અમરસિંહજી, તુલસીદાસજી, સુજાનમલજી, જ્ઞાનમલજી, પૂનમચંદજી, જેઠમલજી, પુષ્કરમુનિજી થઈ ગયા છે. આચાર્ય દેવેન્દ્ર મુનિજી પ્રકાંડ વિદ્વાન હતા અને એમણે
60
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org