________________
સંપ્રદાયની પરંપરા
પંથ ઊભો થયો છે. કાનજીસ્વામી શ્વેતાંબર સ્થાનકવાસી હતા પરંતુ દિગંબર આચાર્ય કુંદકુંદના નિશ્ચયનય પ્રરૂપણાથી ખૂબ પ્રભાવિત થયા અને વ્યવહારનય છોડીને પૂરો ભાર નિશ્ચય પર આપવા લાગ્યા. છેલ્લા દસકામાં આના અનુયાયી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વધી ગયા છે. આ પંથનાં મુખ્ય કેન્દ્રો સૌરાષ્ટ્રમાં સોનગઢ અને રાજસ્થાનમાં જયપુરમાં છે. ધીરે ધીરે ભારત અને વિદેશોમાં તેઓ પોતાનાં મંદિરો સ્થાપવા લાગ્યા છે અને પોતાના વિચારોને અનુરૂપ ઘણી ધર્મસામગ્રીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.
૨૦મી શતાબ્દીમાં મુખ્ય દિગંબર આચાર્ય સ્વર્ગીય શાંતિસાગરજી (૧૮૭ર૧૯૫૫), સ્વ. આચાર્ય આદિસાગરજી (૧૮૬૯-૧૯૪૩) તથા વર્તમાનમાં આચાર્ય વિદ્યાનંદજી, આચાર્ય વિમલસાગરજી, આચાર્ય વિદ્યાસાગરજી, આચાર્ય પુષ્પદંત સાગરજી, આચાર્ય વિદ્યાનંદજી થયા છે. તરુણ મુનિઓમાં વિશેષ વિખ્યાત રહ્યા છે મુનિશ્રી તરુણસાગરજી અને આર્થિકા જ્ઞાનમતી માતાજી. શ્વેતાંબર પંથ :
શ્વેતાંબર પરંપરા વહેંચાઈ ગઈ છે મુખ્ય ત્રણ પંથોમાં. (૧) મૂર્તિપૂજક અથવા દેરાવાસી, (૨) સ્થાનકવાસી, (૩) તેરાપંથી. ઉપરાંત વીરાયતન સંપ્રદાય અને શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય સંઘ પણ એમની જન્મશતાબ્દી જયંતિના સમયથી ગુજરાતમાં અને ગુજરાતી સમાજોમાં વધુ સક્રિય થઈ ગયો છે.
મૂર્તિપૂજક અથવા દેરાવાસી : શ્વેતાંબર મૂર્તિપૂજક અને દેરાવાસની સંખ્યા વધુ છે અને તેમની સર્વાધિક સંખ્યા ગુજરાતમાં જોવા મળે છે. આમ તો તેઓ હવે ભારતમાં બધા ભાગોમાં અને વિદેશમાં પણ ફેલાઈ ગયા છે. મૂર્તિપૂજક સમાજ પૂજા સમયે ફળ, ફૂલ, કેસર વગેરે ચઢાવે છે અને તીર્થકરોની મૂર્તિઓને રત્ન, પુષ્પ વગેરેથી સજાવે છે. પર્યુષણ પર્વના આઠ દિવસમાં આકર્ષક આંગીની પ્રથા ઘણી પ્રચલિત છે.
સમયાનુક્રમે મૂર્તિપૂજકોમાં પણ ઉપશાખાઓ બની. એમનામાં વિવિધ ગચ્છ
59.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org