________________
“જ્યારે આચાર્ય ભદ્રબાહુના અનુયાયીં દક્ષિણ ભારતથી મગધ પાછા ફર્યા તો એક મોટો વિવાદ ઊભો થયો. નિયમ અનુસાર જૈન સાધુ નગ્ન રહેતા હતા પરંતુ મગધના જૈન સાધુઓએ દુર્ભિક્ષ કાળમાં સફેદ વસ્ત્ર ધા૨ણ ક૨વાનો પ્રારંભ કર્યો. દક્ષિણ ભારતથી પાછા ફરેલા જૈન સાધુઓએ આનો વિરોધ કર્યો કારણ કે તેઓ પૂર્ણ નગ્નતાને મહાવીરના ઉપદેશનો આવશ્યક ભાગ માનતા હતા. વિરોધ શાંત થવો અસંભવ હતો. આ રીતે શ્વેતાંબર (જેના સાધુ સફેદ વસ્ત્ર ધારણ કરે છે) અને દિગંબર (જેના સાધુ એકદમ નગ્ન રહે છે) સંપ્રદાય ઉત્પન્ન થયો.”
સંપ્રદાયની પરંપરા
વસ્તુત: જૈન ધર્મની આધ્યાત્મિકતા, કર્મવાદ, અહિંસા, અનેકાંત, અપરિગ્રહ સિદ્ધાંત અથવા સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યરિત્રથી મોક્ષપ્રાપ્તિના તત્ત્વજ્ઞાનમાં બંને પરંપરાઓમાં કોઈ અલગપણું નથી, કોઈ મતાંતર નથી. પરંતુ એમના ધાર્મિક વિશ્વાસ, રીતિરિવાજ અને અનુષ્ઠાનોમાં મતમતાંતર મળે છે. શ્વેતાંબર પરંપરાનું તીર્થંકર મલ્લિનાથને મહિલા તીર્થંકર માનવાનું પણ આ મતાંતરનું ફળ છે, કારણ કે દિગંબર પરંપરાની માન્યતામાં માત્ર દિગંબર પુરુષમુનિ જ તીર્થંકર પદ પ્રાપ્ત કરી શકે છે. દિગંબર-શ્વેતાંબર ભેદ અંગેની અત્યંત રોચક માહિતી જોઈએ.
શ્વેતાંબર પરંપરા
કેવળી ભોજન કરે છે.
કેવળીને નિહાર હોય છે.
સવસ્ત્ર મુક્તિ થઈ શકે છે.
સ્ત્રી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.
તીર્થંક૨ મલ્લિનાથનું સ્ત્રી હતા.
ગૃહસ્થ વેશમાં મુક્તિ સંભવ.
ભરત ચક્રવર્તીને ભવનમાં જ કેવળજ્ઞાન.
Jain Education International
દિગંબર પરંપરા
નથી કરતા.
નથી હોતો.
મુક્તિ માટે દિગંબર હોવું જરૂરી છે.
નથી કરી શકતી.
સ્ત્રી તીર્થંકર નથી થઈ શકતી. મલ્લિનાથ પુરુષ તીર્થંકર હતા.
ના. સાધુ હોવું જરૂરી છે.
અસંભવ.
55
For Personal & Private Use Only
www.jainelibrary.org