________________
જેને ધર્મ: વારસો અને વૈભવ
પરંપરા દુકાળના સમયે મુખ્ય ધારાથી દૂર થઈ. દિગંબરત્વ એટલે ત્યાગ અને વીતરાગની તરફ પૂર્ણત: વધવું. ડૉ. હુકમચંદ ભારિલ પોતાના પુસ્તક “તીર્થકર મહાવીર ઔર ઉનકા સર્વોદય તીર્થમાં લખે છે :
દિગંબર કોઈ વેષ નથી, સંપ્રદાય નથી, વસ્તુનું સ્વરૂપ છે; અંદરથી બધું છૂટી ગયું છે, દેહ છૂટવાનો થોડો સમય લાગી શકે છે. પણ તે પણ છૂટવાનો છે, કારણ કે એના પ્રત્યે રાગ હતો, તે તૂટી ગયો છે. દેહ રહી ગયો છે તો ભલે રહ્યો, જ્યારે છૂટશે ત્યારે છૂટી જશે, પણ એની પરવા છૂટી ગઈ છે.”
શ્વેતાંબર પરંપરામાં નિગ્રંથ એટલે ગ્રંથિરહિત એટલે કે બધા પરિગ્રહોથી મુક્ત. શ્વેતામ્બર પરંપરા આત્મશુદ્ધિ, અપરિગ્રહ, વીતરાગતામાં એટલી જ આસ્થાવાન છે, પરંતુ મુનિશરીર પર શ્વેત વસ્ત્ર હોવું, એ ભૌતિકતા કે પરિગ્રહમાં સમાવેશ પામતું નથી. શ્વેતાંબર માન્યતા છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના મહત્ત્વને જોતાં વસ્ત્ર વગેરે ઉપકરણોની આવશ્યકતા છે અને ફક્ત જૂજ પ્રમાણમાં શ્વેત વસ્ત્રો ધારણ કરવાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. સ્થાનકવાસી શ્વેતાંબર આચાર્ય સુશીલકુમારજીએ પોતાના પુસ્તક “જૈન ધર્મ” (પૃ. ૩૯)માં પોતાનો મત આ રીતે વ્યક્ત કર્યો છે :
“મહાવીરે મહાવ્રત અને પ્રતિક્રમણાત્મક અંત:શુદ્ધિ પર જેટલો દૃઢતાપૂર્વક ભાર મૂક્યો છે એટલી દઢતા સચેલ અથવા અચલના એકાંતિક પક્ષ પર નથી મૂકી. આ કારણથી એમના સમયમાં તો સમન્વયાત્મક સિદ્ધાંતોથી અને પાપાયિકો તથા મહાવીર સંઘમાં સમજણના દૃષ્ટિકોણથી અને પ્રેમથી કામ ચાલતું રહ્યું, પરંતુ જંબૂસ્વામી તથા ભદ્રબાહુજીના સર્વતોમુખી વ્યક્તિત્વની ખોટથી સચેલ અને અચેલનો જૂનો વિવાદ શ્વેતાંબર અને દિગંબર નામથી બહાર આવ્યો. એટલું નક્કી છે કે ભગવાન મહાવીરે જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે એક વસ્ત્ર ધારણ કર્યું હતું, ક્રમશ: એમણે હમેશાને માટે એ વસ્ત્રનો પણ ત્યાગ કરી દીધો અને પૂર્ણત: અચેલ (નિર્વસ્ત્ર) થઈ ગયા.”
પ્રસિદ્ધ ઇતિહાસકાર આર. સી. મજમુદાર પોતાના પુસ્તક “પ્રાચીન ભારતમાં(પૃ. ૧૪૯)માં લખે છે :
54
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org