SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રદાયની પરંપરાઓ ઈ. સ. પૂર્વની શતાબ્દીના છેલ્લા તબક્કામાં અને પ્રથમ શતાબ્દીના પ્રારંભમાં જૈન ધર્મ બે મુખ્ય સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો : (૧) દિગંબર (૨) શ્વેતાંબર. આજે જ્યારે આપણે સંપૂર્ણ જૈન સમાજને એકત્રિત અને સુગઠિત કરવા ઇચ્છીએ છીએ, ત્યારે ઝીણવટથી સમજવાની વસ્તુ છે એ કે આવું વિભાજન કેમ થયું અને દરેક પરંપરામાં બીજાં વધુ વિભાજન કેમ થયાં, એનાથી જૈન સમાજની ઓળખને શું નુકસાન થયું છે અને આ ગૂંચને વધુ ઉલઝાવવાને બદલે કઈ રીતે એનો ઉકેલ આવી શકે. એ સ્મરણીય છે કે ભગવાન મહાવીરના નિર્વાણનાં આશરે ૧૫૦ વર્ષ પછી બાર વર્ષના દુષ્કાળમાં મુનિવર્ગ વિખરાઈ જવાથી વિરોધાભાસ ઉત્પન્ન થયો જેણે સંપ્રદાયવાદને જન્મ આપ્યો. મુખ્ય અંતર હતું સચેતત્વ અને અચલત્વ વિશે. દિગંબર પરંપરા દિગંબરત્વ અથવા અચલત્વને વિશુદ્ધ જૈન પરંપરા માને છે, અને એને મૂળ પંથ કહે છે. દિગંબર પરંપરાની માન્યતા છે કે મૂળ જૈન ધર્મ દિગંબરત્વ પર જ આધારિત રહ્યો છે અને શ્વેતાંબર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy