________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
ધર્મના વિભિન્ન સિદ્ધાંતો પર કેટલાંય પુસ્તકો લખ્યાં છે, એમણે જૈન ધર્મ અને દર્શન સાહિત્યનાં પુસ્તકો સાધારણ લોકો માટે સ્પષ્ટ, સરળ અને સહજ બનાવ્યાં
શ્રી કાનજીસ્વામી અને શ્રીમદ્ રાજચંદ્રજીને અનુસરનારા માટે હિંદી તથા ગુજરાતીમાં ઘણું, ગંભીર અને વિવેચનાત્મક આત્મબોધક સાહિત્ય પ્રગટ થયું છે. બે વર્ષ પૂર્વે શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મશતાબ્દીના અવસર પ્રસંગે વિશ્વભરમાં સમારોહ અને વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમના જીવન અને સાહિત્ય વિષે લોકોમાં ઘણી રુચિ જાગ્રત થઈ.
પ્રારંભથી અત્યાર સુધી ચાલતી આવતી ગુરુપરંપરાના કેટલાય કીર્તિમાનોનું આ પૂર્ણ વિવરણ નથી. આ વિવરણ એ વાતનું ઘાતક છે કે આજે અને કાલે આવનારા યુગમાં ધર્મગુરુ પરંપરાએ જૈન ધર્મને માનવધર્મ બનાવવાના અવસરનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ. આ માટે વર્ગ, સંપ્રદાય, જાતિ, જ્ઞાતિ વગેરે કુંડાળાથી પર થઈને નવા અવસરનો લાભ ઉઠાવવો અત્યંત આવશ્યક છે. શિક્ષિત જૈન સમાજ પર એટલી જ જવાબદારી આવી જાય છે. એ જૈન ધર્મના મર્મને ગ્રહણ કરે અને એની પ્રાસંગિકતા વ્યાપક જનમાનસમાં સ્થાપિત કરે.
52
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org