________________
શ્રમણ પરંપરા
થઈ ગયું. સ્મૃતિમાં રહેલા અને લિપિબદ્ધ થયેલા ૧૧ અંગ આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), જ્ઞાતધર્મકથા, ઉપાસક દશાંગ, અંતકૃદ્ધશાંગ, પ્રશ્ન વ્યાકરણ, વિપાસૂત્ર છે. '
એની સાથે જ વિદ્વાન શ્વેતાંબર સાધુઓએ નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વૃત્તિ, વ્યાખ્યા વગેરે રૂપમાં આગમો પર વિશદ ટીકાઓ લખી છે. ઘણું લુપ્ત થવા છતાં પણ જૈન સાહિત્ય ઘણું વિશાળ અને ગહન છે અને શ્રમણ સંસ્કૃતિના વ્યાપક પૂર્ણતત્ત્વનું પ્રતિબિંબ પાડે છે.
બધા જૈન આચાર્યો અને ધર્મગુરુઓએ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક નિર્માણમાં બહુમૂલ્ય ફાળો આપ્યો, જેના કારણે એમને સમાજમાં તમામ વર્ગોમાં આદર સાથે યાદ કરવામાં આવે છે. એમણે સમન્વયવાદ પર ભાર આપ્યો. પોતાની વાત સ્પષ્ટ અને પ્રભાવક ભાષામાં કહી, પરંતુ બીજા ધર્મપંથો ઉપર ક્યારેય આક્ષેપ કર્યો નથી કે કીચડ ઉછાળ્યો નથી. એમની સહિષ્ણુતાની પરંપરાને વર્તમાન યુગના જૈન સંતો, આચાર્યો અને વિદ્વાનોએ અત્યંત કુશળતાથી અદ્ભુત શૈલીમાં દર્શાવી છે.
, શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાને કારણે ગુજરાતના સમ્રાટ કુમારપાળે અહિંસા અને શાકાહારની દિશા પોતાના રાજ્યને માટે નક્કી કરી અને તેની ઘોષણા કરી. એ જ રીતે દક્ષિણ ભારતમાં વિજયનગર રાજ્યમાં અહિંસાની પ્રતિષ્ઠા તથા બિહાર અને મથુરામાં અહિંસા ફેલાવવાનું શ્રેય પણ જૈનાચાર્યોને જાય છે. વકીલાતના અભ્યાસ માટે મહાત્મા ગાંધી લંડન જઈ રહ્યા હતા ત્યારે જૈન સંત બેચરસ્વામીએ એમને મઘ, માંસ અને પરસ્ત્રીગમનનો ત્યાગ કરાવ્યો હતો અને ત્યાર પછી શ્રીમદ્ રાજચંદ્રજીએ એમને પૂર્ણ અહિંસક બનાવી દીધા.
વ્યાપક ભારતીય તથા વિશ્વ સમાજને માટે લાડનૂ વિશ્વવિદ્યાલયથી ઘણું સાહિત્ય પ્રકાશિત થતું રહ્યું છે અને ગણાધિપતિ તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞની નિશ્રામાં અહિંસા અને અણુવ્રત પર કેટલાંય આંતરરાષ્ટ્રીય સંમેલન થઈ ગયાં છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ ઘણા મૌલિક, વિશ્લેષણાત્મક પરંતુ સહજ રૂપથી જૈન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org