________________
જૈન ધર્મ વારસો અને વૈભવ
માને છે. સાતમી શતાબ્દીમાં વિદ્વાન ભટ્ટ અકલંક દેવે તત્ત્વાર્થ રાજવાર્તિકની રચના કરી, જેમાં અનેકાંત સિદ્ધાંતને સ્પષ્ટ રૂપે સમજાવવામાં આવ્યો છે. આઠમી શતાબ્દીમાં આચાર્ય વિદ્યામંદિએ તત્ત્વાર્થ શ્લોકવાર્તિક રચ્યો. આ શૃંખલામાં શ્રુતસાગરસૂરિએ તત્ત્વાર્થવૃત્તિની રચના કરી. ૨૦મી સદીમાં તત્ત્વાર્થસૂત્ર પર પંડિત સુખલાલ સંઘવી, ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી, કૈલાશચંદ્ર શાસ્ત્રી, પન્નાલાલ સાહિત્યાચાર્ય, કાનજીસ્વામી અને નથમલ ટાંટિયાજીએ વિવેચન લખ્યું.
નવમી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ “શ્રાવકધર્મ બિંદુ પ્રકરણ' લખ્યું, જેમાં ગૃહસ્થો અને શ્રમણોના સામાન્ય તથા વિશેષ આચરણના નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ગ્રંથ પર વિ. સં. ૧૧૮૧માં મુનિચંદ્રસૂરિએ હસ્તલિખિત ટીકા લખી જેનો અનુવાદ ગુજરાતી તથા હિંદીમાં થઈ ગયો છે.
પોતાના ગ્રંથ “શ્રાવકધર્મ સમાસ'માં આચાર્ય હરિભદ્રસૂરિએ ૧૨૦ પ્રાકૃત ગાથાઓ સામેલ કરી – જેની ઉપર વિ. સં. કે ઈ. સ. ૧૫૪૮માં ભાનદેવસૂરિએ ટીકા લખી છે.
૧૧મી શતાબ્દીમાં આચાર્ય જિનેશ્વરસૂરિએ ષસ્થાન પ્રકરણ લખ્યું જેમાં વ્રતપરિકર્મત્વ, શીલત્વ, ગુણત્વ, ઋજુવ્યવહાર, ગુરુસેવા પર વિવેચન છે. ઉપાધ્યાય જિનપાલે આ ગ્રંથ પર તેરમી શતાબ્દીમાં ભાષ્ય લખ્યું. ચૌદમી શતાબ્દીમાં આચાર્ય દેવેન્દ્રસૂરિની રચના “શ્રાદ્ધ દિનકૃત્ય સૂત્ર” અને એમના દ્વારા લખાયેલી ટીકા પ્રસિદ્ધ છે.
પંદરમી શતાબ્દીમાં આચાર્ય શેખરસૂરિએ શ્રાવકો માટે માર્ગદર્શક એવો “વિધિકૌમુદી' ગ્રંથ લખ્યો.
શ્વેતાંબર સ્થાનકવાસી પરંપરા અનુસાર કુલ આગમ સાહિત્ય ૩૨ છે. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ છેદ, ૪ મૂલ અને ૧ આવશ્યક. શ્વેતાંબર મૂર્તિપૂજક (દેરાવાસી) પરંપરા ૪૫ આગમ ગ્રંથ માને છે. કેટલાક આગમોનો ક્રમ ૮૪ સુધી લઈ જાય છે.
૧૪ પૂર્વોમાં તીર્થંકર પાર્શ્વનાથના સમયનું સાહિત્ય હતું, જે સ્મૃતિમાંથી લુપ્ત
50
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org