________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ ગોમટસાર, જીવકાંડ, કર્મકાંડ, ત્રિલોકસાર વગેરે). આચાર્ય નેમિચંદ્ર ગોમટેશ્વર બાહુબલીની જગવિખ્યાત પ્રતિમાના પ્રતિષ્ઠાચાર્ય પણ હતા.
દિગંબર પરંપરામાં શ્રાવકો અને ઉપાસકોના આચારવિચાર પર અધિક ચિંતન થયું છે. આચાર્ય કુંદકુંદ દ્વારા પાહુડ (૪૪ ગાથાઓ) વિક્રમ પ્રથમ શતાબ્દીનું છે. ૮૪ પાહુડોમાંથી હવે માત્ર ૨૦ ઉપલબ્ધ છે. આચાર્ય કુંદકુંદ દ્વારા રચિત - “રયણસાર'માં કુલ ૧૬૭ ગાથાઓ છે, જેમાં ૭૨ ગાથાઓમાં શ્રાવક ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિશે હિંદી અને મરાઠીમાં વિદ્વાનોએ વ્યાખ્યાઓ પ્રકાશિત કરી છે.
બીજી શતાબ્દીમાં આચાર્ય સમતભદ્ર સ્વામીએ પ્રસિદ્ધ “રત્નકરંડ શ્રાવકાચાર' (૧૫૦ ગાથાઓ) લખ્યું અને અનેકાંત સિદ્ધાંતનું પ્રથમ વાર વિશદ વિવેચન કર્યું. આચાર્ય સમતભદ્રના શિષ્ય આચાર્ય શિવકોટિએ “રત્નમાલા' ગ્રંથની રચના કરી.
આઠમી-નવમી શતાબ્દીમાં આચાર્ય રવિષેણે “પદ્મપુરાણ' (જૈન રામાયણ) ગ્રંથ લખ્યો, આચાર્ય જયસિંહ નન્ટિએ “વરાંગચરિત' મહાકાવ્ય લખ્યું. આ શતાબ્દીમાં જ આચાર્ય જિનસેન દ્વારા લખાયેલું “હરિવંશપુરાણ' પ્રસિદ્ધ છે અને એ રીતે ૯મી શતાબ્દીમાં દ્વિતીય આચાર્ય જિનસેન દ્વારા લખવામાં આવેલ મહાપુરાણ” જાણીતું છે.
દસમી શતાબ્દીમાં આચાર્ય અમૃતચંદ્રસૂરિ પોતાની રચના “પુરુષાર્થ સિદ્ધયુપાય માટે પ્રખ્યાત બની ગયા.
૧૧મી શતાબ્દીમાં સામંતદેવસૂરિ રચિત “ઉપાસકાધ્યયન' તથા વિક્રમ ૧૧મી શતાબ્દીમાં આચાર્ય અમિતગતિ રચિત “અમિતગતિ શ્રાવકાચાર', આચાર્ય ચામુંડરાયનું “ચારિત્રસારગત શ્રાવકાચાર', ૧૯મી શતાબ્દીમાં આચાર્ય બ્રહ્મનેમિદત્તનો “ધર્મોપદેશ જીમૂષવર્ષ શ્રાવકાચાર' પ્રસિદ્ધ ગ્રંથો છે.
૧૧ થી ૧૫મી શતાબ્દીમાં પ્રસિદ્ધ દિગંબર જૈનાચાર્યો થયા જેમાં
48
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org