________________
શ્રમણ પરંપરા
શ્લોકવાળું “પખંડાગમ સૂત્ર રચ્યું. આમાં વસ્તુત: જૈન શ્રુતજ્ઞાન સમાયેલું છે. તેઓ આચાર્ય ધરસેનના શિષ્ય હતા. આચાર્ય ભૂતબલિએ પખંડાગમનો શેષ ભાગ અને મહાબંધ લખ્યા. પખંડાગમની પૂર્ણાહુતિની સ્મૃતિમાં શ્રુતપંચમી ઊજવવાની પરંપરાનો પ્રારંભ થયો. એ આગમ છ ખંડોમાં લખવામાં આવ્યું તેથી એનું નામ પખંડાગમ થયું. આ સમયે આચાર્ય ગણધરે કસાય પાહુડ સૂત્ર (૧૬,૦૦૦ પદ તથા ૨૩૩ ગાથાઓ) લખ્યું.
આ પછી વિદ્વાન શ્રુતાચાર્યોની પરંપરા જ્વલંત રાખનાર અતિ વિશિષ્ટ કુંદકુંદાચાર્ય થયા. તેઓ કર્ણાટકમાં જન્મ્યા અને દિગંબર પરંપરામાં સર્વોપરિ સ્થાન મેળવ્યું. આજે પણ દિગંબર સંપ્રદાયમાં પ્રત્યેક મંગલ કાર્યમાં મહાવીર અને ગૌતમ ગણધર પછી એમને વંદન કરવામાં આવે છે.
"मंगलं भगवान् वीरो, मंगल गौतम गणी,
मंगलम् कुंदकुंदाचार्य, जैन धर्मोऽस्तु मंगलम् ।” આચાર્ય કુંદકુંદે ૨૩ ધર્મગ્રંથો લખ્યા જેમાં મુખ્ય છે સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર અને નિયમસાર, અષ્ટપાહુડ, રયણસાર, વગેરે.
દિગંબર પરંપરાના અન્ય પ્રસિદ્ધ આચાર્યો અને એમણે રચેલા ગ્રંથો આ પ્રમાણે છે : આચાર્ય ઉમાસ્વાતિ (તત્ત્વાર્થસૂત્ર) (ઈશુની બીજી શતાબ્દી); આચાર્ય લંગોવાડિગ્રાસ (શિલપ્તદિકટમ - તમિલ મહાકાવ્ય), આચાર્ય સમતભદ્ર (રત્નકરંડ શ્રાવકાચાર, યુજ્યનુશાસન, સ્તુતિ - વિદ્યા, સ્વયંભૂ - સ્રોત વગેરે); દેવનંદિ પૂજ્યપાદ આચાર્ય (ઈશુની છઠ્ઠી શતાબ્દી), સર્વાર્થ સિદ્ધિ, ઇષ્ટોપદેશ, વૈયાકરણ, સમાધિતંત્ર વગેરે); આચાર્ય અકલંકદેવ (આઠમી શતાબ્દી : તત્ત્વાર્થ વાર્તિક ટીકા, અષ્ટશતી વગેરે); આચાર્ય વિરસેન (નવમી શતાબ્દી - ધવલા, જયધવલા ટીકા વગેરે); આચાર્ય જિનસેન (નવમી શતાબ્દી - આદિપુરાણ, હરિવંશપુરાણ); આચાર્ય વિદ્યાનંદ (નવમી શતાબ્દી - તત્ત્વાર્થ શ્લોકવાર્તિક, અષ્ટસહસ્રી, સત્યશાસન પરીક્ષા વગેરે); આચાર્ય રવિસેન (પદ્મપુરાણ); આચાર્ય ગુણભદ્ર (ઉત્તર પુરાણ) અને આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી (દસમી શતાબ્દી –
41
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org