SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ બ્રહ્મચારી હરિલાલ જૈન દ્વારા લિખિત “ચોવીસ તીર્થંકર પુરાણમાં આચાર્ય જિનસેન ગુણભદ્રસ્વામીના આદિપુરાણ તથા વિભિન્ન ૮૦ પુરાણો અને ૩૦ વિવિધ શાસ્ત્રો (જેમકે જય ધવલા, સમયસાર, ષખંડાગમ, ધવલા વગેરે)ના આધારે એવી સંભાવના વ્યક્ત કરી છે કે ઋષભદેવથી આરંભીને ચંદ્રપ્રભ સ્વામી સુધીના આઠ તીર્થકરો સુધી જૈન ધર્મ નિર્વિઘ્ન ચાલ્યો, પરંતુ નવમા તીર્થંકર પુષ્પદંત અને પંદરમા તીર્થંકર ધર્મનાથ સુધીમાં થોડી શિથિલતા આવી, પણ સોળમા તીર્થંકર શાંતિનાથ પછી ભગવાન મહાવીર સુધી ધર્મ ફરી પ્રભાવશાળી બન્યો. તીર્થકર મહાવીરે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં નવો પ્રાણ, નવી દિશા, ફૂર્તિ, અજોડ પ્રબન્ધન અને ગહનતા ઉમેર્યા. વધતાં જતાં કર્મકાંડ, હિંસક પ્રવૃત્તિ, ભેદભાવ, ધાર્મિક હરીફાઈઓ જોઈને જૈન સિદ્ધાંતોને સંગઠિત, સુનિયોજિત અને વિરાટ સંપૂર્ણ દ્વાદશાંગ ગ્રુતના રૂપમાં કર્યો. પોતાના મુખ્ય ગણધર ઇંદ્રભૂતિ ગૌતમને અર્ધમાગધી ભાષામાં પૂછેલા પ્રશ્નોના ઉત્તરો, વ્યાખ્યાઓ અને દેશના આપ્યા. ઇંદ્રભૂતિ ગૌતમ સાથે કુલ ૧૧ ગણધરો હતા અને એમના ૧૪000 શિષ્યો હતા. શ્રત દ્વાદશાંગ અન્ય આગમો અને પુરાણોની ગંગોત્રી બની ગયો અને તાર્કિક દૃષ્ટિથી એમનું વિશુદ્ધ આધ્યાત્મિક રૂપ જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક, વ્યાવહારિક અને તાર્કિક રૂપ પણ પ્રગટ થયું. જૈન દર્શને ખૂબ ઊંડાણથી આખીય સૃષ્ટિનાં બધા પાસાંઓનાં મૂળભૂત તત્ત્વોની ગવેષણા કરી. ફક્ત નૈતિકતા અને અધ્યાત્મ જ નહીં, પરંતુ પૃથ્વીવિજ્ઞાન, અણુ-પરમાણુ સિદ્ધાંત, દ્રવ્ય, ઊર્જા, પુદ્ગલ, પ્રકાશ, ધ્વનિસિદ્ધાંત, ગણિત, જ્યોતિષ, યોગદર્શન તથા ધ્યાનસાધના પર જૈન શાસ્ત્રોમાં વિપુલ જાણકારી મળે છે, જે આજના વૈજ્ઞાનિક અનુસંધાનો સાથે સુમેળ ધરાવે છે. જૈન શાસ્ત્રોમાં ઇતિહાસ, ભૂગોળ, માનવસંસ્કાર, મનોવિજ્ઞાન ઉપર પણ વિશાળ વ્યાખ્યા અને માહિતી મળે છે. જૈન ધર્મના કર્મ-સિદ્ધાંત પુદ્ગલની બંધરચના, આકાશદ્રવ્ય, કાલદ્રવ્ય વગેરેની વિચારણાઓ વૈજ્ઞાનિક પાયા પર ઘડાઈ છે. તાત્પર્ય એટલે કે જૈન ધર્મ નિરંતર સંકુચિત અંતર્મુખી ધર્મપંથના રૂપમાં નથી રહ્યો. 44 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy