________________
શ્રમણ પરંપરા
વ્યવસ્થિત સંગઠનની શરૂઆત થઈ હતી. જૈન પુરાણો અનુસાર એમના ચતુર્વિધ સંઘમાં ૮૪ ગણધર (પ્રથમ ગણધર એમના જ પુત્ર વૃષભસેન), ૮૪૦૦૦ મુનિરાજ, ૩૫0000 આયિકાઓ (જેમાં મુખ્ય હતી એમની બે પુત્રીઓ – બ્રાહ્મી અને સુંદરી), ૩૮૦૦૦૦ શ્રાવક અને ૫૦૦૦૦૦ શ્રાવિકાઓ હતાં. ભગવાન મહાવીર સુધી આવી જ શ્રમણ સંઘની પરંપરાએ તીર્થકરોની દિવ્ય વાણીને દ્વાદશાંગ શ્રુતના કંઠસ્થ પ્રવાહમાં સદીઓ સુધી જીવંત રાખી. તેથી દરેક તીર્થકરના જીવન-અનુભવથી જૈન તત્ત્વજ્ઞાન વિકસિત થતું ગયું.
શ્રમણ પરંપરામાં વિશિષ્ટ સ્થાન ૩૩ શલાકા પુરુષોનું છે. આમાં ૨૪ તીર્થકર સિવાય ૧૨ ચક્રવર્તી, ૯ નારાયણ, ૯ પ્રતિનારાયણ, ૯ બલભદ્રનો સમાવેશ થાય છે. એની સાથે રહ્યા છે રુદ્ર, યક્ષ, યક્ષિણીઓ અને હજારો મુનિરાજો. એમાંથી કેટલાંય નામો હિંદુ શાસ્ત્રો સાથે સામ્ય ધરાવે છે. ભરત, સાગર, મઘવા, વાલી, પ્રફ્લાદ, રામ, કૃષ્ણ, બલરામ વગેરે. બંને ધર્મોમાં મળતાં નામો એ સૂચવે છે કે જૈન સંસ્કૃતિના વ્યાપક પ્રસાર અને પ્રભાવથી હિંદુ ઇષ્ટદેવો પણ અળગા નથી રહ્યા.
જો આપણે ઋષભદેવ અને મહાવીર વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછાં ૨૫૦૦ વર્ષનો માની લઈએ તો ૨૫ શતાબ્દીના લાંબા સમયગાળામાં મુનિ સંપ્રદાયનો પેઢી દર પેઢી સ્મૃતિથી ધર્મસાહિત્ય જીવંત રાખવામાં મોટો ફાળો છે. વળી હિંદુ ધર્મ ખૂબ ઝડપથી વ્યાપક બનતો હતો, ત્યારે જૈન સિદ્ધાંતોને વ્યાપક જનસમાજના બધા વર્ગોમાં જીવંત રાખવા માટે જૈન મુનિવર્ગ સમર્થ રહ્યો.
દરેક યુગમાં માનવસ્વભાવ અનુસાર વિરોધી તત્ત્વો અવાજ ઉઠાવતા રહ્યા. એમ કહેવાય છે કે તીર્થંકર મહાવીરના સમયમાં પણ લગભગ ૩૬૩ વાદો હતા. કહે છે કે ભગવાન મહાવીરના સંઘમાં સાત નિહ્નવોએ તિરાડ પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમાં તેઓ અસફળ રહ્યા. અનેકાંત પ્રેરિત સમન્વયવાદી દૃષ્ટિકોણથી જૈન ધર્મનો પાયો પ્રારંભથી જ મજબૂત રહ્યો છે. જૈન સંસ્કૃતિનો મૂળ ગુણ સમન્વય હોવાથી ભલે જૈનની સંખ્યા ઓછી-વત્તી રહી હોય, પણ જૈન સિદ્ધાંતો વિકસિત થઈ રહેલી ભારતીય સંસ્કૃતિ દ્વારા સમગ્ર ભારતને પ્રભાવિત કરતા રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org