________________
૭
શ્રમણ પરંપરા
જૈન ધર્મના લાંબા ઇતિહાસમાં ચોવીસ તીર્થંકરોએ પોતપોતાના યુગમાં આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન તથા ધાર્મિક સાધનાઓને જીવંત કરી અને સમગ્ર જનસાધારણને એનો કલ્યાણકારી લાભ આપ્યો. અસંખ્ય જૈન આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ-સાધ્વીઓએ ધર્મનો ધ્વજ ફરકતો રાખ્યો છે.
જૈન સાધનાની આધારભૂમિ છે સાધુ અને સાધ્વી. સાધુથી આગળનું સોપાન છે ઉપાધ્યાય. ઉપાધ્યાયથી ઉપર આવે છે આચાર્ય. આચાર્યથી અરિહંત અને અરિહંતથી સિદ્ધ. જો સાધુ સાધનાનું ધરાતલ હોય તો સિદ્ધ એનું શિખર. અંતિમ ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર પછી જૈન સિદ્ધાંતો અને ધર્મસાહિત્યનું સર્જન અને સંરક્ષણ એમના ઉત્તરવર્તી શ્રમણો અને ઉપાસકોએ કર્યું છે. પ્રાચીન તીર્થો, મંદિરો, મૂર્તિઓ, શાસ્ત્ર, આગમ-પુરાણ અને અન્ય સ્મૃતિરૂપ કે સાંસ્કૃતિક વારસા પર અને શ્રુતધરાચાર્યો, સારસ્વતાચાર્યો તથા મંદિરો પર વિઘ્નસંતોષી તત્ત્વો દ્વારા કેટલીય વાર હુમલા થતા રહ્યા અને મૂર્તિઓ ખંડિત થતી રહી.
ભગવાન ઋષભદેવના સમયથી જ શ્રમણ સંઘના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org