________________
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી
કહ્યું કે ક્રોધને ક્ષમાથી જીતો, ઘમંડને વિનયથી અને લોભ-લાલચને સંતોષથી.
ભગવાન મહાવીરને કેવળજ્ઞાનપ્રાપ્તિ પૂર્વે કરેલી દીર્ઘકાલીન કઠોર તપશ્ચર્યા અને સાધના દરમિયાન કેટલાય ઉપસર્ગો સહન કરવા પડ્યા હતા. એ જ રીતે કેવળજ્ઞાનપ્રાપ્તિ પછી ૩૦ વર્ષ સુધી સમગ્ર ભારતમાં વિહાર અને ઉપદેશ સમયે પણ રસ્તામાં કેટલીય મુશ્કેલીઓ અને તકલીફો આવી. જ્યારે ભગવાન મહાવી૨ અનાર્ય દેશોમાં ગયા ત્યારે એ લોકોએ એમને અપશબ્દો કહ્યા, લાઠીપ્રહાર કર્યો, પરંતુ આ બધું સમભાવ, શાંતિ, સૌમ્યતા, ધૈર્ય અને ક્ષમાભાવનાથી સહન કર્યું. સૂત્રકૃતાંગ સૂત્ર ૧-૬માં ભગવાનની સ્તુતિ કરતાં કહેવામાં આવ્યું છે पूढोवमे घुणई विगयगे न सिणिहिं कुव्वन् आसुन्ने । तरिकं समुदं व महाभवधं अभयं-केर वीर अणंत चक्खू ।
:
(જેમ પૃથ્વી પર કોઈ મળ-મૂત્ર અને કચરો નાખે છે અથવા એને ખોદે છે તો પૃથ્વી સમભાવપૂર્વક બધું સહન કરી લે છે, કોઈની પર ગુસ્સે નથી થતી. એ જ રીતે ભગવાન પણ બધાં પ્રાણીઓ ૫૨ સમભાવ રાખે છે, ગુસ્સે નથી થતા.)
ભગવાન મહાવીરનો ઉદય લોકશક્તિનો ઉદય હતો. ધર્મના ક્ષેત્રમાં તર્કસંગત અને વૈજ્ઞાનિક ચિંતન પ્રતિષ્ઠિત થયું; રાજતંત્ર વધુ માનવીય બન્યું; સમાજમાં સમતાભાવ ફેલાયો અને જનમાનસમાં શોષણરહિત આત્મોદયની પ્રેરણા અને ઉમંગ ઊછળવા લાગ્યાં.
૩૦ વર્ષ સુધી પૃથ્વી પર અવિરત અહિંસા, અનેકાંત અને અપરિગ્રહનો પ્રચાર કર્યા પછી ૭૨ વર્ષના આયુષ્યમાં પાવાપુરીમાં મહાવીર ભગવાનનું અંતિમ કલ્યાણક થયું અને તેઓ ઈ. સ. પૂર્વે ૫૨૭માં નિર્વાણ પામ્યા. ત્યારથી જૈન પરંપરામાં એમના નિર્વાણ દિવસને દિવાળીના તહેવારના રૂપમાં ઊજવવામાં આવે છે.
Jain Education International
41
For Personal & Private Use Only
www.jainelibrary.org