________________
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી
સર્વ પ્રથમ ભગવાન મહાવીરે દેશના જુદા જુદા પ્રદેશોમાં પગપાળા વિહાર કર્યો અને વ્યાપક જનસંપર્કમાં આવ્યા. તેઓ લોકપ્રિય થયા કેમ કે એમણે પહેલાં પોતાની આત્મશુદ્ધિને માટે પરમ ત્યાગ અને કઠોર તપસ્યા કરી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જ બીજાઓને દેશના આપી. સમાજના જાતિભેદ, વર્ગભેદ, વર્ણભેદ કે લિંગભેદને તેઓ માનતા નહોતા. તેઓ હંમેશા કહેતા કે દરેક પ્રાણી અથવા માનવનો, તે નાનો હોય કે મોટો, કાળો હોય કે ગોરો, નર હોય કે નારી, બધાંનો આત્મા સરખો છે. એ યુગમાં વર્ણભેદ અને જાતિભેદ, તેને કારણે જન્મતા બીજા ભેદભાવો પ્રગટ થવાની શરૂઆત હતી, ત્યારે ભગવાન મહાવીરે સામાજિક સમતા અને સમાનતાની ઘોષણા કરી. જૈન ધર્મ બધા વર્ગો માટે હતો. મહાવીરનો આધ્યાત્મિક સમાજવાદ અને સમત્વ માત્ર વિચાર, વાણી અને દૃષ્ટિ સુધી સીમિત નહોતા, પરંતુ એ સઘળું એમના આચરણમાં પ્રગટ થતું હતું. તેઓ કહેતા કે માનવીના મનમાં સમતાભાવ હશે, તો તે સમાજજીવનમાં આપોઆપ પ્રગટશે. મહાવીરે પોતાનો ઉપદેશ એ સમયની લોકભાષા અર્ધમાગધી ભાષામાં આપ્યો, સંસ્કૃતમાં નહીં; આથી તેઓ સરળતાથી સામાન્ય જનતાના હૃદયને સ્પર્શી શક્યા અને જનહૃદયમાં એમણે આગવું સ્થાન મેળવ્યું. લોકભાષામાં ઉપદેશ આપવાથી એમના વિચારો લોકોના હૃદયમાં બરાબર ઊતરી ગયા. ભગવાન મહાવીર વિષમતામાંથી પ્રગટતા સામાજિક શોષણના પક્ષકાર ના હતા. ભગવાન મહાવીરે મોટા આત્મિક સાહસથી રાજમહેલની બહાર નીકળીને, બધાં ભૌતિક સુખો તજીને માનવકલ્યાણ માટે કઠોર સાધના કરી. ભગવાન મહાવીરે નાત-જાતના ભેદભાવોને ભૂલીને એક સર્વસુલભ ધર્મવ્યવસ્થા સ્થાપિત કરી. એમના સંઘમાં ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, અસ્પૃશ્ય મનાતા વર્ગનાં નર-નારી બધાં સામેલ હતાં. એમના ધર્મધ્વજ નીચે ખેડૂત,
37
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org