________________
જૈન ધર્મ વારસો અને વૈભવ
નિરાળી હતી. કહે છે કે બધી જાતિઓના માનવસમૂહ તથા પશુ-પક્ષી પણ એમની આધ્યાત્મિક શક્તિ પ્રત્યે સંવેદનશીલ થઈને અહીં એકત્રિત થયાં હતાં. એમની ઉપસ્થિતિથી નૈસર્ગિક વાતાવરણ પણ દિવ્ય બની ગયું. સમવસરણની રચના તથા એનું સમસ્ત નૈસર્ગિક વાતાવરણ પરસ્પરોપગ્રહો જીવાનામ્ સૂત્રને ચરિતાર્થ કરી રહ્યું હતું.
ભગવાન મહાવીરના ભવ્ય સમવસરણની કલ્પના કરીને બ્રહ્મચારી હરિલાલના કવિહૃદયમાંથી કવિતા રચાઈ : (ચોવીસ તીર્થંકર પુરાણ)
“वीर प्रभु के ज्ञान गगन से बरसे अमृतधारा पिवुलगिरि पर दिव्य ध्वनि की होती जय जयकार । रत्नत्रय की खिली वाटिका आनंद का सौरभ है करते निजकल्याण जीव जिन शासन का गौरव है । समवसरण के मध्य बिराजे वीर नाथ भगवान
हर्षित हो सुर-नर-मुनि करते प्रभुजी का गुणगान।" દિવ્ય ધ્વનિના પ્રથમ પ્રવચનમાં ભગવાન મહાવીરે કહ્યું,
“જે પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રકૃતિના અસ્તિત્વની ઉપેક્ષા કરે છે તે વસ્તુતઃ સ્વયંના અસ્તિત્વની ઉપેક્ષા કરે છે, કારણ કે વ્યક્તિ સાથે એ સર્વ તાણાવાણાથી ગૂંથાયેલાં છે.”
આ સંદેશામાં જૈન ધર્મની પર્યાવરણ દૃષ્ટિ પ્રગટ થાય છે અને તેને અહિંસા ધર્મના પાલનની એક મહત્ત્વપૂર્ણ આધારશિલા બનાવી.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ૩૦ વર્ષ સુધી ભગવાન મહાવીરે સમગ્ર જીવન જૈન સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત કરી દીધું. એમનાં ઉદાત્ત કાર્યોમાંથી પ્રગટેલાં બહુમૂલ્ય ગુણતત્ત્વો આજે ભગવાન મહાવીરના વારસા રૂપે આપણી પાસે છે, જે વર્તમાન યુગમાં પણ અત્યંત મહત્ત્વનાં છે. ભગવાન મહાવીરે શ્રમણસંસ્કૃતિ અને સંગઠનમાં નવી સ્કૂર્તિ, ગતિ, મૌલિક વિચારણા અને અભિનવા સંગઠન-શક્તિનો સંચાર કર્યો. એમણે જૈન સિદ્ધાંતોને દર્શન અને નૈતિકતાની સાથે સાથે જીવનશૈલી અને જીવનવિજ્ઞાનના રૂપમાં રજૂ કર્યા.
36
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org