________________
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી
કઠોર સાધના જ એમના જીવનનો મહાન યજ્ઞ હતો. પોતાના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામીને તેમણે કહ્યું :
સવા યજ્ઞ "तवो जोई जीवो जोईठाणं, जोगा सुया सरीरं कारिसंग । कम्मेहा संजम जोगसंती, होमं हुणामि इसिणं पसत्य ।।"
आराध्ययन १२, गाथा ४४ “હે ગૌતમ, તપ અગ્નિ છે, જીવ જ્યોતિ સ્થાન છે. મન, વચન, માયાના યોગ કડછી છે, શરીર કારિષાંગ છે, કર્મ બળતણ (ઇંધણ) છે, સંયમ યોગ શાંતિ પાઠ છે. એવા જ હોમથી હું હવન કરું છું. ઋષિઓએ આવો જ હોમ પ્રશસ્ત કહ્યો
આ હતો મહાવીરનો શક્તિશાળી અહિંસક જવાબ. યજ્ઞમાં પશુબલિનો મહિમા હતો ત્યારે એને અટકાવવા એમણે જીવદયા, કરુણા અને અહિંસાનો સંદેશો આપ્યો. એ યુગમાં એની અત્યંત આવશ્યકતા હતી, કારણ કે ધર્મક્રિયાને નામે ઘોર હિંસા પ્રવર્તમાન હતી. મહાવીરનો સંદેશ હતો કે જો કષ્ટ આપવું હોય તો જાતને આપો, બીજાને ન સતાવો, એમનું દિલ ન દુભાવો, એમના જીવનની એવી જ રક્ષા કરો, જેવી પોતાના જીવનની કરવા ઇચ્છો છો. મહાવીરે સ્પષ્ટ
કહ્યું :
'इमेण चेव जुज्झाहि, किं ते जुझेण बच्ओ '
आचारांग सूत्र, १-५-३१ (સ્વયંની નબળાઈઓ અને દોષો સામે સંઘર્ષ કરો, બીજાને હેરાન કરવાથી કે બીજા સાથે લડવાથી તમને શું પ્રાપ્ત થશે ?)
સાડાબાર વર્ષની સાધના પછી જ્યારે ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે તેઓ બિહારમાં સમેતશિખર તીર્થથી ૧૫-૨૦ કિલોમીટર દૂર જાંબૂક ગામની નજીક ઋજુવાલિકા નદીના કિનારે ઉપવનમાં શાલિ વૃક્ષની છાયામાં સ્વચ્છ સ્ફટિક જેવી શિલા પર સમવસરણના કેન્દ્રમાં ધ્યાનસ્થ હતા. ૯૦ દિવસના મૌન પછી ઇંદ્રભૂતિ ગૌતમ એમના પ્રથમ ગણધર બનતાં ભગવાન મહાવીરની દિવ્ય વાણી ગુંજી ઊઠી. સમવસરણની છટા જ
35
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org