SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મઃ વારસો અને વૈભવ નિર્ણય કર્યો. મોટાભાઈ નંદિવર્ધનના આગ્રહને માન આપીને તેઓ બે વર્ષ ગૃહસ્થયોગી તરીકે રાજમહેલમાં રહ્યા. ત્રીસ વર્ષની ઉંમરમાં મહાવીર દીક્ષાના પંથે આગળ વધ્યા. રાજવૈભવ, સંપન્નતાનાં સુખ-સાધન અને ભોગ-વિલાસની સામગ્રી અને સઘળા ભૌતિક વૈભવનો ત્યાગ કર્યો. જૈન આગમોમાં એમના લગભગ સાડા બાર વર્ષના દીર્ઘ સાધનાકાળનું વિસ્તૃત વર્ણન દર્શાવે છે કે એમની તપસ્યા કઠોર અને અપૂર્વ તો હતી, પરંતુ એમણે અનેક ઉપસર્ગો ધૈર્ય અને સમતાથી સહન કર્યા. તે સમયના લાઢ દેશના અનાર્ય લોકો તથા ચંડકૌશિક સર્પ, ગોશાલક, સંગમ દેવ, શૂલપાણિ યક્ષ વગેરે દ્વારા કરવામાં આવેલા ઉપસર્ગો એમણે સમ્યક ક્ષમાભાવ અને સહિષ્ણુતાથી સહ્યા. એમણે સાધનાકાળમાં સાબિત કરી આપ્યું કે તેઓ સાચેસાચ “મહાવીર' છે. મહાવીરનો સાધનાકાળ અપરિગ્રહ, ત્યાગ અને વીતરાગતાનું જ્વલંત ઉદાહરણ છે. જૈન આગમોમાં કહેવામાં આવ્યું છે કે સાડા બાર વર્ષમાં એમણે છે માસ નિરાહાર અને નિર્જલ વિતાવી દીધા અને સાડાબાર વર્ષમાં કુલ મળીને ૩૪૯ દિવસથી વધુ આહાર લીધો નહોતો. આચાર્ય શ્રી સમંતપ્રભસૂરિએ મહાવીર પ્રત્યે શ્રદ્ધા અભિવ્યક્ત કરતાં લખ્યું છે : "नमः श्री वर्धमानाय नि त कलिलात्मने सालोकानां त्रिलोकानां यद्धिधा दर्पणावते." “શ્રી વર્ધમાનને સંપૂર્ણ આદર સાથે નમન વંદન. જેમણે પોતાના આત્માને બધાં કર્મબંધનોથી મુક્ત કરી દીધા છે અને જેમના ગહન આત્મજાગરણમાં સંપૂર્ણ ત્રણે લોક પ્રતિબિંબિત થાય છે.” જૈન આગમ “કલ્પસૂત્ર'માં લખ્યું છે : “સર્વોત્તમ જ્ઞાન, સર્વોત્તમ વિવેક, સર્વોચ્ચ સાહસ, સર્વોચ્ચ સૂઝ-બૂઝ, સર્વોચ્ચ શૈર્ય, સર્વોચ્ચ તૃપ્તિ, સર્વોચ્ચ અંતરદૃષ્ટિ સાથે પરમાત્મા મહાવીરે સાડા બાર વર્ષ સુધી તપસ્યા અને સાધના કરી અને સત્ય, અહિંસા, સંયમ તથા સમ્યફ ચારિત્રના બળે આત્મોદ્ધારના સર્વોચ્ચ પથ પર અગ્રેસર થઈ ગયા.” 34 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy